SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Basama anaharasalanan sarananananananananananananananananananana કહ્યું છે. તે પણ આ મુહૂર્તીચા નક્ષત્રની સંજ્ઞાનો ઉપયોગ અત્યારે નવા ચંદ્ર દર્શનમાં સૂર્ય સંક્રાન્તિમાં તથા કાળધર્મ પામેલા સાધુની પછવાડે નવા દર્ભના પુતળા કરવામાં થાય છે. રત્નમાલામાં કહ્યું છે કે – શુદિ બીજને દિવસે ચંદ્ર જે, ત્યારે જે પિસ્તાળીશ મુહૂર્તીયું નક્ષત્ર હોય તે ધાન્ય સસ્તું થાય છે, ત્રીશ મુહૂતયું નક્ષત્ર હોય તે અનાજના ભાવ સરખા રહે છે, અને પંદર મુહુર્તીચું નક્ષત્ર હોય તે અનાજ મેંઘું થાય છે. આ પ્રમાણે દરેક માસના ભાવ નીકળી શકે છે. સત્યાવીશ નક્ષત્રમાં કૃત્તિકા મૃગશીર્ષ પુષ્ય મઘા વિગેરે બાર નક્ષત્રોનાં નામ કાર્તિકાદિ બાર માસને અનુસરતા છે. ઘણું કરીને તેઓ પિતપોતાના માસની પુનમે દિન નક્ષત્ર તરીકે આવે છે, અને સૂર્યના ભેગવાળું ચાલુ નક્ષત્ર દરેક માસની અમાસે દિન નક્ષત્ર તરીકે આવે છે અને ત્યાર પછી હમેશાં એકેક દૈનિક નક્ષત્રનો ફેરફાર થાય છે. અઠયાવીશે નક્ષત્રોના અશ્વિનીકુમાર વિગેરે જુદા જુદા સ્વામીઓ છે, જેની પ્રતિષ્ઠામાં તે નક્ષત્રો શુભ મનાયેલા છે. આ પ્રમાણે તિથિ કરણ વિગેરે પણ પોતપોતાના સ્વામીની. પ્રતિષ્ઠામાં અતિ આવશ્યક્તાવાળા મનાયેલ છે. તે વિષે સવિસ્તર બીના બીજા ગ્રન્થથી જાણી લેવી; કેમકે જિનેશ્વરદેવ સમુચ્ચયપણે દરેક નક્ષત્રના સ્વામી છે, જેથી નક્ષત્ર વિગેરેના અધિપતિઓ સંબંધે અહીં કાંઈ ઉલ્લેખ કર્યો નથી. પ્રસંગોપાત નક્ષત્રની સંજ્ઞાઓ અને ફળ કહીએ છીએ; જેમાંનું કેટલુંક તે આ ગ્રન્થમાં જ આગળ કહેવાશે, પરંતુ સરળતા માટે અહીં જ વર્ણવીએ છીએ. પુનર્વસુ, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા અને શતભીષા નક્ષત્રો ચર તથા ચલ કહેવાય છે, અશ્વિની, પુષ્ય, હસ્ત અને અભિજિત્ નક્ષત્રો લઘુ તથા ક્ષિપ્ર છે, મૃગશિર, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્રો મૃદુ તથા મૈત્ર છે, ત્રણ ઉત્તરા અને રેહિણું ધ્રુવ તથા સ્થિર છે. આદ્ર, અલેષા, જયેષ્ઠા અને મૂળ દારૂં તથા તીક્ષણ છે, ત્રણ પૂર્વા ભરણ અને મઘા, ફુર તથા ઉઝ છે. કૃત્તિકા અને વિશાખા મિશ્ર તથા સાધારણ છે. આ નક્ષત્રોનાં જેવાં નામ છે તેવું કાર્ય તે નક્ષત્રોમાં કરવાથી કાર્યસિદ્ધિ થાય છે; પણ એટલું વિશેષ છે કે તીણ અને ઉગ્ર નક્ષત્રનાં કાર્યો મિશ્રમાં પણ કરાય છે, તેમજ ઉગ્રનાં કાર્ય દારૂંણમાં પણ કરાય છે, પરંતુ તીર્ણ, ઉગ્ર કે મિશ્રનાં કાર્ય મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર કે ચર નક્ષત્રમાં કરાતાં નથી. વળી કૃત્તિક, ત્રણ પૂવ, આદ્રો, વિશાખા, ભરણી, અષા. અને શતતારા શાંતકાર્યમાં પ્રાયઃ ત્યાજ્ય છે, સામાન્ય રીતે તે તે નક્ષત્રોમાં આ પ્રમાણે કાર્યની વહેંચણી કરેલ છે– “કુર્યાત વાળ પુમિરેચ, “પુઃ શાન્નિશનિ ! व्याधि प्रतिकारमुशन्ति तीक्ष्णैः मित्रैश्च मिश्रं विधिमामनन्ति" ॥१॥ ૬૩
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy