________________
anaSMASASAMARTARRANARENasasasasasasasasalamandra NASA MAMAMANAN તિથિના સંગોમાં વિશેષ શુદ્ધિ થતી હોવાથી રાશિ અને તિથિના કુગનો સહેલાઈથી પરિ. હાર થાય છે, તે પણ ચંદ્રગ્ધા તિથિઓની સ્થૂળ શુદ્ધિ પણ આવશ્યક છે. કેમકે આવી કેટલીક
સ્થળ રીતિઓ પણ જ્યોતિવિદેને સમ્મત હોય છે, તેમજ એક રાશિમાં સવાબે નક્ષત્રનો ભંગ થતું હોવાથી રાશિઓ વડે નક્ષત્રના અમુક પાયાની શુદ્ધિ પણ જુદી પડે છે. વળી લગ્નકુંડલીમાં સૂક્ષ્મ નવાંશ બળ હોવા છતાં લગ્નબળ સામાન્ય મનાતું નથી. તથા સિદ્ધછાયા દુલિલગ્ન અને અભચ મુહુર્ત નિર્દોષ હેવા છતાં તે સિવાયની બીજી શુદ્ધિ પણ બહુશ્રુત સમ્મત હોવાથી નિષ્ફળ નથી. હર્ષ પ્રકાશમાં ચંદ્રદગ્ધા તિથિઓ આ પ્રકારે છે.
"कुंभधणे अजमिहुणे, तुलसीहे मयर मीण विसकक्के । विच्छियकन्नासु कमा, बीआइसमतिहिओ ससि द" ॥१॥
અથ–“કુંભ અને ધનનો ચંદ્ર હોય ત્યારે બીજ, મેષ અને મિથુનના ચંદ્રમાં થ, તુલા અને સિંહના ચંદ્રમાં છઠું, મકર અને મીનના ચંદ્રમાં આઠમ, વૃષ અને કમાં દશમ, કન્યા અને વૃશ્ચિકમાં બારશ તિથિ ચંદ્રદબ્ધ છે. ”
દગ્ધાતિથિને જન્મેલ પ્રાયઅલ્પ આયુષ્યવાળે હેય છે. આ તિથિમાં હજામત, નવું વસ્ત્ર પહેરવું, ગૃહ પ્રવેશ, શસ્ત્ર ગ્રહણ, યાત્રા, ખેતી વિવાહ વિગેરે કાર્યો કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી, પણ ઉલટી નુકસાની થાય છે. લલ્લ કહે છે—-નક્ષત્રના જેટલા તારાઓ છે તેટલામી તિથિ તે નક્ષત્રના યુગમાં નક્ષત્રદગ્ધ તિથિ કહેવાય છે. વળી તે વિશેષ નિયમ જણાવે છે કે—તારાને તુલ્ય એવા વર્ષ માસ દિવસ વડે કરીને નક્ષત્રનું ફળ પરિપકવ થાય છે.
મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે કે–આઠ વિષમતિથિઓ કુલ્ય છે. આઠમ, બારશ અને ચૌદશ ઉપકુલય છે, તથા બીજ, છઠ્ઠ અને દશમ કુ મુલ્ય છે. આ સંજ્ઞાનું ફળ નક્ષત્રની કુમુલ્ય સંજ્ઞાની પેઠે જાણવાનું છે, જે રાજાની યાત્રામાં વિશેષ ઉપયોગી છે. (મુ. પ્ર. ૧૧)
૪૩