SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) દસમા ભુવન પરથી સૂર્ય પસાર થતો હોય ત્યારે જન્મના રાહુ સિવાયના પાપગ્રહો બેઠા હોય તે ધંધા રોજગારની વૃદ્ધિ કરવું અને જે રાહુ બેઠે હોય તે ધંધા રોજગારનું નુકસાન કરે. ૧૧) અગ્યારમા ભુવનપરથી સૂર્ય પસાર થતો હોય ત્યારે જન્મનો શનિ-મંગળ-રાહુકેતુ બેઠેલા હોય તે કુટુંબમાં અસંતોષ નિર્માણ કરે અને શુભગ્રહ બેઠેલા હોય તે સુખી કરે, તેમજ ઝાડાને રેગ કરાવે, ક્યાં ગરમી કરાવે ૧૨) બારમા ભુવન પરથી સૂર્ય પસાર થતા હોય ત્યારે જે મંગળ બેઠેલો હોય તે ગુમડા થાય. શનિ હોય તે ટાયફોડ થાય, રાહુ અને શિયાળ હોય તો ન્યુમોનીયા થાય, ઉનાળો હોય તે ટાયફોડ થાય, ચંદ્ર હોય તે શરદી થાય, બુધ હોય તો ડાયાબીટીશ થાય, શુક્ર હોય તે શરીર શકિતક્ષીણ થાય, જે ગુરૂ હોય તો કોઈ દર્દનો સંભવ નથી. પણ જે નીચનો ગુરૂ હોય તો શારિરીક થડે નાશ થાય, કુટુંબમાં વિખવાદ કરાવે, આર્થિક નુકસાન કરાવે. ૧) જન્મના શનિ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે સવાબે દિવસ બહુ ખરાબ જાય શુભ કે અશુભ કાર્ય કરવું નહિ. ૨) ૧-૩-૭-૧૧ આટલા ભુવનમાં શુક બેઠે હોય અને એની ઉપરથી ચંદ્ર પસાર થાય તે જાતક માનસિક અશાંતિ ભોગવે છે. ૩) ગુરૂ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે એ જ સવાબે દિવસ સ્થિરતા રહે. ૪) બેચરના શનિ પરથી ગોચરને ચંદ્ર પસાર થાય ત્યારે સવા બે દિવસ શુભ કે અશુભ કાર્ય કરવું નહિ. ૫) ગુરૂચંદ્રની યુતિ ગજકેશરી, રાજગ થાય, જન્મના ગુરૂ પરથી ચંદ્ર પસાર થાય ત્યારે કોઈપણ કાર્ય કરીયે તે પાર પડે. ૬) બુધ ઉપરથી ચંદ્ર પસાર થતો હોય ત્યારે નવા જ્ઞાનની શરૂઆત કરવી જોઈએ જ્ઞાનયોગ. ૭) ગોચરનો બુધ અને ચંદ્રની યુતિ જ્ઞાનયોગ ગોચરને શનિ અને ચંદ્રથી યુતિ મહાપનોતિયોગ ગોચરનો મંગળ અને ચંદ્રની યુતિ ધનગ ગોચરનો શુક્ર અને ચંદ્રની યુતિ પ્રવાસ ૪૦૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy