________________
MIRAMARENTAHEIMARAM anataka Banana SamanaSaMaNLAMRAMM
અંગકુરણ વિગેરે નિમિત્ત, અંગસ્પશ વિગેરે ઈગિત, દુર્ગાદિ શકુન અને લગ્નાદિ તિષથી ચિત્તોત્સાહનું બળ વિશેષ છે. એમ આ લેકમાં સૂચન છે. અંતિમ નદી વિગેરેનું મુહૂર્ત કહે છે– तिक्खु-ग्ग-मिस्सरिक्खाणि, चिच्चा भोम-सणिच्छ्रं।
पढमं गोअरं नंदी-पमुहं सुहमायरे ॥ १४२॥
અથ–ીણ ઉગ્ર અને મિશ્ર નક્ષત્ર તથા મંગળ અને શનિવારને ત્યજીને બાકીના દિવસોમાં પ્રથમ ગોચરી તથા નંદી પ્રમુખ શુભ કાર્યો કરવાં . ૧૪૨ છે
વિવેચન –નવીન સાધુને પ્રથમ ગોચરી કરાવવી હોય અથવા વ્રત પ્રાયશ્ચિત યોગ ઉપધાન અને તપને માટે નાણ મંડાવવી હોય તે-રવિ, સોમ, બુધ ગુરુ અને શુક્રવાર તથા અશ્વિની, રોહિણી, મૃગશર, પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉત્તરાષાઢા, અભીગ્ન, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ કે રેવતી નક્ષત્ર શુભ છે.
આ બાબતમાં તિથિ વિગેરે શુદ્ધિ માટે કાયદામાં શાંત કાર્યોનું વિવરણ તપાસવું.
આ ગ્રંથનું ફળ કહે છે. इअ जोगपईवाओ, पयडत्यपरहि विहिअउज्जोआ। मुणिमणभवणपयासं, दिणसुद्धिपईविआ कुणउ ॥१४३॥
અર્થ——-આ યોગ પ્રદીપથી પ્રકટ અથૅવડે ઉદ્યોત કરનારી દિનશુદ્ધિપ્રદીપિકા મુનિઓના મનોભવનમાં પ્રકાશ કરે છે ૧૪૩
વિવેચન—ચન્થકાર સૂરિજીએ મહાગ્રન્થરૂપી દીપકોમાંથી આ ગ્રન્થ બનાવ્યો છે જે પ્રક્ટ અર્થોવડે પ્રકાશ કરનાર છે અને સ્વતંત્ર દિવસની શુદ્ધિ દેખાડે છે. તેથી આનું નામ દિનશુધિ દીપિકા રાખેલ છે આ દીપિકા મુનિઓનાં મનરૂપી ભવનમાં પ્રકાશ કરે.
અહીં મુનિઓને ઉદ્દેશીને આ ગ્રન્થ બનાવ્યું છે એમ સ્પષ્ટ વિધાન છે, કેમકે અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન સાધુઓ માટે આવશ્યક છે, માત્ર તેઓ તેને આરંભ-સમારંભમાં ઉપ
ગ કરી શકતા નથી જ્યારે ગૃહસ્થ માટે તે આવશ્યક છે, પણ ગૃહસ્થ તેને આરંભ–સમારંભમાં ઉપયોગ કરે તેમ છે માટે આ ગ્રંથ મુનિઓના કરકમળમાં જાય, અને તેઓનાં હૃદયમાં અનવદ્ય કાર્યોના માર્ગ પ્રકાશે, એમ ગ્રન્થકાર સૂરિજીની ભાવના છે. '
PENASIBLENESSES SELESENESESTES ENESESESELESEDELLYELESEXENESVESENEYESENTES
૩૫૧