SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહો | અતિ ઉત્તમ | ઉત્તમ | મધ્યમ અધમ ૩-૧૧ | કેન્દ્ર ત્રિકોણ | પ– ૨-૬-૮-૧૨ ૧-૨-૪-૭-૮-૧૦-૧૨ પ્રવેશ કરનારને જોગણી ડાબી હોય, રાહુ જમણે કે પાછળ હોય, શિવ જમણે કે પાછળ હોય, રવિ ડાબો કે પાછળ હોય, કાળ જમણો હોય અને વત્સ જમણે કે ડાબે હાય તે તે અત્યંત હિતકારક છે. ચંદ્ર પછવાડે હોય તે અશુભ છે, પણ ગૃહસ્થના ઘરમાં સન્મુઅને ચંદ્ર પણ અશુભ છે અહીં ચંદ્ર અને વાસ્તુ ચંદ્ર એમ બંનેનો સ્વીકાર થાય છે. ત્રિવિક્રમ કહે છે કે-યાત્રા કે પ્રવેશમાં શુક્ર અને બુધ સન્મુખ કે જમણ રહ્યા હોય તે અશુભ છે. સ્વાભાવિક પિતાના ગામમાં કે પોતાના ઘરમાં પ્રવેશ કરવો હોય કે નવી વહુને તેડી લાવવી હોય તે સન્મુખ શુક્ર અશુભ નથી. સન્મુખ વત્સને ત્યાગ કરે અને તેમ ન બની શકે એમ હોય તે પૂર્વોકત વત્સ દિશાના સાત ભાગ પૈકીના ચોથા ભાગના વત્સને ત્યાગજ કરે. શિ૯૫દીપકમાં કહ્યું છે કે ચાર મુખવાળા ઘર માટે આ વિચાર કરે જ નહિ આ રીતે દિફળ વિગેરેની પણ યથાનુકુળ શુદ્ધિ તપાસવી. મુહુત ચિંતામણિમાં કહ્યું છે કે એક દિવસ એક નગરમાંથી નીકળી અન્ય દિવસે અન્ય નગરમાં જવું હોય તે વિચાર કરીને આ સર્વ બાબતમાં તપાસ કરવી. પરંતુ રાજા એક દિવસ એક નગરમાંથી નીકળી તેજ દિવસે બીજા નગરમાં પ્રવેશ કરે તો નક્ષત્રશૂળ વારશૂળ પ્રતિશુક્ર યોગિની અસ્ત વિગેરે તપાસવાં નહિ. અને નિકળવાનું મુહુર્ત પણ જેવું નહી. માત્ર યથાવકાશ પંચાંગશુદ્ધિથી પ્રવેશ મૂહુર્ત જોઈ પ્રવેશ કરે ઉદયપ્રભસૂરિ કહે છે કે દિવસના પૂર્વ ભાગે એટલે ચડના પહોરમાં પ્રવેશ કરે અને નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે—શરીરની છાયાનું માપ લઈ છાયા લગ્નમાં પ્રવેશ કરે જેમાં બીજી શુદ્ધિની આવશ્યકતા રહેતી નથી. તે આ પ્રમાણે न लग्नं न ग्रहबलं, न चन्द्रो तारकावलम् । વિષાસુ મા: , સમા: પદ્દા ન તુ મા II ૨૬૭
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy