________________
masMBASABASABANISMERETLANTSANTRUNEBEREISARANASABAHINDAMY કરે ભમવું, તથા ૩ પૂર્વાદિ ઢોરવાળા નક્ષત્ર સાથે રહેવું. (આ ત્રણે પ્રકારે ઉદય પામેલ ચંદ્ર ચારે દિશામાં ભમે છે.) આ ત્રણ ઉદયથી સૂરિ મહારાજ એમ જણાવે છે કે
૧ અસ્ત થયા પછી ઉદય પામતે ચંદ્ર સન્મુખ આવે તો તે ઉદય સન્મુખ ચંદ્ર કહેવાય છે.
૨ સિંહાદિ ત્રણ ત્રણ સંક્રાતિ વડે ચારે દિશામાં ઉદય પામતે ચંદ્ર, તથા ચારે કે આઠે દિશાને સ્પર્શ કરતે ચંદ્ર, સન્મુખ આવે તે તે દિશાના વશથી સન્મુખ ચંદ્ર કહેવાય છે.
- ૩ ચંદ્રથી ભોગવાતું નક્ષત્ર જે દિશાના દ્વારવાળું હોય તે દિશામાં દ્વાર નક્ષત્રના વશથી ચંદ્રને ઉદય મનાય છે.
તેમજ સવા બળે નક્ષત્ર પ્રમાણુથી થતી રાશિમાં રહેલ ચંદ્ર, નક્ષત્રના વશથી પૂર્વાદિ દિશામાં મનાય છે.
તે માટે કહ્યું છે કે – मेषे च सिंहे धनपूर्वभागे, वृषे च कन्या मकरे च याम्ये ।
युग्मे तुले कुम्भसु पश्चिमायां, कर्कालिमीनेषु तथोत्तरस्याम् ॥१॥
અર્થ–ચંદ્ર-મેષ સિંહ અને ધનને થાય ત્યારે પૂર્વમાં, વૃષભ કન્યા અને મકરને થાય ત્યારે દક્ષિણમાં, મિથુન તુલા અને કુંભને થાય ત્યારે પશ્ચિમમાં, તથા કર્ક વૃશ્ચિક અને મીનને થાય ત્યારે ઉત્તરમાં હોય છે. ૧. આ રીતે સન્મુખ આવેલે ચંદ્ર નક્ષત્રના વશથી સન્મુખ મનાય છે.
આ ચંદ્ર અમૃતને વરસતો હોય, એટલે– વિપુલ સ્નિગ્ધ, સ્પષ્ટ કિરણવાળે, ઉદય પામેલો, ગ્રહોથી નહિં પીડાયેલે અથવા ઉચ્ચ સ્થાનમાં રહેલે હેય; આવી રીતને શુભ ચંદ્ર પ્રયાણમાં સન્મુખ હોય તે શ્રેષ્ઠ છે. નારચંદ્ર ટીપ્પણમાં તો સન્મુખ અને જમણી બને ચંદ્રો શુભ કહ્યા છે.
संमुखे अर्थलाभं च, दक्षिणे सुखसंपदः ।
पश्चिमे कुरुते मृत्यु, वामे चन्द्रो धनक्षयम् ॥१॥ અર્થ–ચંદ્ર પ્રમાણમાં સન્મુખ હોય તે ધન પ્રાપ્તિ કરાવે છે. જમણી બાજુ હોય તે સુખ-સંપદા કરે છે, પાછળ હોય તે મૃત્યુ કરે છે, અને ડાબી બાજુ હોય તે ધનનો ક્ષય કરે છે. યલો અન્ય સ્થાને કહ્યું છે કે
TEENUSESENVOYENPLEXESESPREYESVETESUESESELLESPIESNESE
YENESESESEE
૨૩૦