________________
MIMI NINAKAMISAMNANANANANANASTASTNANOSEBAN NANANANINI MAANAMI છઠ્ઠી છઠ્ઠી દિશામાં એટલે--વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્યમાં ચાર ચાર ઘડી રહે છે. આ જ રીતે સૂર્ય અસ્ત થયા પછી રાત્રિની શરૂઆતથી જ વળી પૂર્વ વિગેરે છઠ્ઠી છઠ્ઠી દિશામાં ચાર ચાર ઘડી હોય છે. અહીં કહેલ ચાર ઘડીથી દિનમાન અને રાત્રિમાનને આઠમ ભાગ યાને એકેક અર્ધપ્રહર લેવાને છે. દિન-રાત્રિને રાહુચર દેખાડવા માટે નારચંદ્રમાં આ પ્રમાણે બીજી રીત છે.
अष्ठासु प्रथमाधेषु, प्रहराष्वहर्निशम् ।
पूर्वस्यां वामतो राहु-स्तुर्या तुर्यो ब्रजेद दिशम् ॥१॥ અર્થ -રાહુ હમેશાં પહેલાથી પ્રારંભીને આઠે પ્રહરોમાં અનુક્રમે-પૂર્વ દિશાથી ડાબી બાજુની ચોથી ચોથી દિશામાં જાય છે. જે ૧ ” બીજા ગ્રન્થમાં યામાઈ રાહુ, કાળરાહ, અંડરાહુ, વારાહુ અને માસરાહુ એમ રાહૂના અનેક ભેદે દર્શાવ્યા છે.
જોતિષ હરમાં કહ્યું છે કે–રવિ વિગેરે સાત વારોમાં અનુક્રમે મૈત્રાત્ય, ઉત્તર, અગ્નિ, પશ્ચિમ ઈશાન, દક્ષિણ અને પૂર્વ દિશામાં રાહુ હોય છે અને ગુરૂવારે વાયવ્ય કેણમાં પણ રાહુ હોય છે આ વારરાહુ જમણી બાજુ કે પાછળ રાખવે તે શુભ છે. શિપ દીપકમાં કહ્યું છે કે–શનિવારે વાયવ્યમાં રાહુ હોય છે, જ્યારે પૂર્વરાહુ હોતું નથી. રાહુના સ્થાન અને ભ્રમણદિશા પ્રથમ કહેવાઈ ગયા છે, તે માસરાહુ કહેવાય છે.
પ્રયાણકાળે રાહ જમણી બાજુ તથા પછવાડે હોય તે શુભ છે. * આરંભસિદ્ધિ અને મુહર્ત ચિંતામણિમાં પણ જમણે અને પાછળ રાહુ શુભ કહ્યો છે. નારકમાં કહ્યું છે કે–“જયાય દક્ષિણે રાહુ-જમણી તરફને રાહુ જયને માટે થાય છે.”
બીજે ઠેકાણે કહ્યું છે કે-રવિ વત્સ અને રાહુ સન્મુખ હોય તે આયુષ્યને હરે છે, અને બીજા ધનને પુષ્ટ કરે છે. જયેતિષ હરમાં કહ્યું છે કે
समुहराहो गमणं, न कीरइ विग्गह होइ पिसुणाय ।
गिहबार पमुहायः वज्जे किरइ ता असुहायं ॥१॥ અર્થ–“સન્મુખ રાહુ હોય તે ગમન કરવું નહિં, અને ગમન કરાય તે લુચ્ચા સાથે કજીયે થાય છે. તેમજ ઘરનું બાર પ્રમુખ વર્જવા, કેમકે તે પણ અશુભ છે ! ૧ ”
* અસમુખવા આ આરંભસિદ્ધિના મૂળને અર્થ ભાષાંતરકારે અસન્મુખ અને વામ એ અર્થ કરેલ છે, પરંતુ એને બન્ને શબ્દમાં નિષેધવાયક અર્થ જોડવાથી અસન્મુખ અને અવામ એવો અર્થ થાય છે, લેખક,
ADELEDELSENS BLENHEISESELILLES SEVES EXPRESSEMBLEYASEMALLE DE
૨૨૬