________________
Banaranasanasanasanasanasanama Masasasasasaranaranasan ENANAMAN
હવે પ્રયાણ કાળ કહે છે– ફંકવઝા છે,
धुवेहि मिस्सेहि पभायकाले, उग्गेहि मज्झन्हिलहू परन्हे । मिऊपओसे निसिमज्झि तिक्खे, चरे निसंते न सुहो विहारो ॥१॥
અથવ અને મિશ્ર નક્ષત્રમાં પ્રભાતકાળે, ઉગ્ર નક્ષત્રમાં મધ્યાહ લઘુ નક્ષત્રમાં અપરહણકાળે, મૃદુ નક્ષત્રમાં રાત્રે, તીવણ નક્ષત્રમાં મધ્યરાત્રે, અને ચર નક્ષત્રમાં રાત્રિના અંતે વિહાર કરે તે સુખકારક નથી છલા
વિવેચન–શ્રેષ્ઠ મધ્યમ કે નિંદ્ય નક્ષત્રમાં આવશ્યક કાર્ય હોય, અને યાત્રા કરવી પડે પણ અમુકાળે તે યાત્રા કરવી હિતકર જ નથી. એટલે ધ્રુવ-રહિણી ત્રણ ઉત્તર મિશ્ર–વિશાખા અને કૃત્તિકા નક્ષત્ર હોય તે દિવસના પુર્વ ભાગમાં યાત્રા કરવી નહિં, ઉગ્ર નક્ષત્ર-ભરણી મઘા અને ત્રણ પુર્વમાં મધ્યાહ કાળે યાત્રા કરવી નહિ, લઘુ નક્ષત્ર-અશ્વિની પુષ્ય હસ્ત અને અભિજિત નક્ષત્ર હોય તે દિવસના ઉત્તર ભાગમાં યાત્રા કરવી નહિ. મૃદુ નક્ષત્ર-મૃગશર ચિત્રા અને અનુરાધામાં રાત્રિના પુર્વ ભાગમાં પ્રયાણ કરવું નહિ, તીક્ષણનક્ષત્ર–આ અશ્લેષા જયેષ્ઠા અને મૂળમાં મધ્યરાત્રિએ યાત્રા કરવી નહિ, તથા ચર નક્ષત્ર-પુનર્વસુ સ્વાતિ શ્રવણ ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં મધ્યરાત્રિથી સવાર સુધીના કાળમાં યાત્રા કરવી નહિ, લલ્લ કહે છે કે--આ નિષેધેલ કાળમાં પ્રયાણ કરવાથી હરકોઈ જાતની નુકશાની થાય છે, માટે તેને અવશ્ય ત્યાગ કરે. શ્રી ઉદયપ્રભસૂરિ તે કહે છે કે–તીહણ નક્ષત્રમાં મધ્યાહ્ન અને ઉચ નક્ષત્રમાં મધ્યરાત્રે યાત્રા કરવી નહિ. બીજા ગ્રન્થમાં આથી વિશેષ પણ દિનશુદ્ધિ કહેલ છે.
સવારની સંસ્થા મધ્યાહુ અને સાંજના સમયમાં સર્વ કાર્ય કરી શકાય છે, અને આવશ્યક કાર્ય હોય તે તાત્કાલિક લગ્નકુંડલીમાં સાતમે અથવા આઠમે ભુવને સૌમ્ય શહને ચોગ થતાં મધ્યાહ કાળેજ પ્રયાણ કરવું, વિજયગમાં દક્ષિણમાં જવું હિતકારક નથી. તિથિ દિવસ બળવાન હોય તે દિવસે, અને નિર્બળ હોય પણ નક્ષત્ર બળવાન હોય તે રાત્રે પ્રયાણ કરવું નક્ષત્ર સમુચ્ચયમાં કહ્યું છે કે—
पूर्वाहे चोत्तरां गच्छेत्, प्राच्यां मध्यंदिने तथा ।
दक्षिणामपर।हे तु, पश्चिमामर्धरात्रके ॥१॥ અથ_દિવસના પુર્વકાળે ઉત્તરમાં, મધ્યાહ્ન કાળે પૂર્વમાં, દિવસના પછીના ભાગમાં દક્ષિણમાં, તથા મધ્યરાત્રે પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું ૧” લલ્લ કહે છે—
૨૧૩