________________
MaranaRaSaNaNINAMARANERASA SAKarasaBananananananana na OSAMAKIM કરે છે, બીજા મનુષ્ય મુહુર્તના બળે યાત્રા કરે છે અને રાજા રોગનું બળ જેઈને યુધ્ધ યાત્રા કરે છે તે સિદ્ધિને માટે થાય છે અહીં જે કે “ચાર વિભાગ પાડીને ચિર વિગેરેની યાત્રા કરવાનું સૂચવ્યું છે, પણ સામાન્ય રીતે તે તે દરેકને માટે વાચે છે.
અહીં કહેલ શુકન તે—મુનિ કુંભ, કન્યા, ગાય, દહીં વિગેરે વસ્તુઓ જાણવી, અને સારા શુકન થયા પછી પ્રયાણ કરવું. પણ જે પહેલું શુકન અશુભ હોય તે અગીયાર શ્વાસોશ્વાસ સુધી રાહ જોઈ પ્રયાણ કરવું, બીજી વાર અપશુકન થાય તે સેળ શ્વાસોશ્વાસ સુધી સ્થિર રહીને ચાલવું અને ત્રીજી વાર અપશુકન થાય તે પ્રયાણ કરવું જ નહિ. રાજની યુધ્ધયાત્રા માટેના કે જે પ્રથમ રાજગે કહ્યા છે ત્યાંથી તથા વિશેષ ગે બીજા ગ્રંથેથી જાણવા પણ જે રાજાને દેવગે તુરત યાત્રા કરવાની જરૂર પડી હોય (અને યાત્રાના યોગોની અનુકૂળતા આવવાનો સંભવ ન હોય, તો તે કેવળ લગ્નના બળથી પણ યાત્રા કરવાથી સિધ્ધિ પામે છે.
- હવે પ્રયાણુની અશેષ શુદ્ધિ કહે છે–તેમાં અયન, માસ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને દિશાની શુધ્ધિ તપાસવી. અયન માટે એ નિયમ છે કે– સૂર્ય મકરાદિ છ રાશિમાં હોય તે ઉત્તર અને પૂર્વ દિશામાં દિવસે ગમન કરવું અને સૂર્ય કર્ક વિગેરે છ રાશિમાં હોય તે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં દિવસે ગમન કરવું તથા ચંદ્ર, મકર વિગેરે છ રાશિમાં હોય તે ઉત્તરમાં અને પૂર્વ દિશામાં, તથા કર્ક વિગેરે છ રાશિમાં હોય તો દક્ષિણ અને પશ્ચિમમાં રત્રે પ્રયાણ કરવું એમ લલ્લ કહે છે રવિચાર અને ચંદ્રચારથી અયનના દેષને પરિહાર થાય છે. પુર્વે શુભ કહેલા માસ ચાણમાં વિશેષ શુભ માસ જાણવા. હવે પ્રથમ પ્રયાણની શુભ તિથિએ અને તેનું ફળ કહે છે—
पाडिवए पडिवत्ती, नथि विपत्ती भणन्ति पीआए । तइआइ अत्थसिद्धि, विजयंगी पंचमी भणिआ ॥६२॥ सत्तमिआ पहूलगुणा, मग्गा निकंटया दसमिआए ।
आरुग्गिआ इगारसि, तेरसि रिउणो निविजिणह ॥६३॥ અર્થ-ગમનમાં એકમ લાભ કરાવે છે, બીજ વિપદાઓને નાશ કરે છે, ત્રીજ અર્થસિદ્ધિ કરાવે છે, પાંચમ વિજય પમાડે છે, સાતમ બહુ ગુણવાળી છે, દશમ માગને નિષ્કટક કરનાર છે, અગીયારશ આરોગ્ય આપનાર છે, અને તેરસ શત્રુઓને જય આપનાર છે. ૬૨-૬૩
૨૦૭