________________
KARABARANIRATIBABateraanantakaranasana sanananasamsakabasan નક્ષત્રની તીણ વિગેરે સંજ્ઞા તથા તેનું ફળ કહે છે.
जिद्दाऽसेस मूल च, तिक्खा रिक्खा विआहिआ । मिऊणि मिग चित्ता य, रेवई अणुराहया ॥५५॥ पुस्सो अ अस्सिणीहत्थं, अभीई लहुआ इमे । उग्गाणि पंच रिक्खाणि, तिपुव्वा भरणी महा ॥५६॥ चरा पुणव्वसु साई, सवणाइतिअं तहा । धुवाणि पुण चत्तारि, उत्तराणि अ रोहिणी ॥१७॥ विसाहा कित्तिआ चेव, दो अ मिस्सा विआहिआ। तिक्खे तिगिच्छं कारिजा, मिऊ गहणधारणे ॥५८॥ लहू चरे सुहारंभो, उरिक्खे तवं चरे ।
धुवे पुरपवेसाई, मिस्से संधिकिंअं करे ॥५९॥ અર્થ—–જેઠા આ અશ્લેષા અને મૂળ નક્ષત્ર તીક્ષ્ણ છે મૃગશર ચિત્રા રેવતી અને અનુરાધા નક્ષત્ર મુદ છે (૫૫) પુષ્ય અશ્વિની હસ્ત અને અભિજિત નક્ષત્રે લઘુ છે, ત્રણ પૂર્વા ભરણું અને મઘા નક્ષત્રે ઉચ્ચ છે. (૫૬) પુનર્વસુ
સ્વાતિ અને શ્રવણદિ ત્રણ નક્ષત્ર ચર છે, ત્રણ ઉત્તરા અને રોહિણુ એ ચાર નક્ષત્ર ધ્રુવ છે. (૫૭) તથા વિશાખા અને કૃત્તિકા નક્ષત્રો મિત્ર છે. તેમાંથી તીક્ષણ નક્ષમાં ચિકિત્સા કરવી, મૃદુ નક્ષત્રમાં વસ્તુનું ગ્રહણ અને ધારણ કરવું, (૫૮) લધુ અને ચર નક્ષત્રમાં શુભકાર્યને આરંભ કર, ઉગ્ર નક્ષત્રમાં તપ આરંભવુ, ધ્રુવ નક્ષત્રમાં નગરપ્રવેશ વિગેરે કરવું, અને મિશ્ર નક્ષત્રમાં સંધિનું કાર્ય કરવું.
વિવેચન–અર્થ સુગમ છે, માત્ર ત્રણ પૂર્વા શબ્દથી પૂર્વાફાગુની પૂર્વાષાઢા અને પૂર્વાભાદ્રપદ, શ્રવણાદિ ત્રણથી શ્રવણ, ઘનિષ્ઠા, અને શતભિષા, તથા ત્રણ ઉત્તરા શબ્દથી ઉત્તરાફાલ્ગથી ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રે લેવાના છે.
તિકબે વિગેરે દેઢ ગાથાથી તેનું કાર્ય કહે છે, તે આ પ્રમાણે છે–
તીહણ નફાત્રમાં રોગની ચિકિત્સા અને ઔષધને પ્રારંભ કરે, મૃદુ નક્ષત્રમાં લેવુંમુકવું અને શાંતિની ક્રિયા કરવી, લધુ અને ચર નક્ષત્રમાં શુભકાર્યનો પ્રારંભ કર, ઉગ્ર નક્ષત્રમાં તપસ્યાની શરૂઆત કરવી, ધ્રુવ નક્ષત્રમાં નગરપ્રવેશ વિગેરે કાર્ય કરવા તથા મિશ્ર નક્ષત્રમાં સંધિનું કાર્ય કરવું.
આ નક્ષત્રોની–તીફણ, વિગેરે સંજ્ઞાઓ તથા તેનાં ફળ માટે વિશેષ જાણવા ઈચ્છનારે નક્ષત્ર દ્વારમાંથી જોઈ લેવું.
ENESENGSLEDELSELESÉVESENESNESES ESSENEKSIES SEVESNISHLIESSEN SISTE SE
२०3