________________
ANTRASINANINIRANAMAN SELASANANANASEMA MANEINANZIMANAMNEAMNANZISTENT NENES
૬ ત્રીશાંશ-રાશિના ત્રીશમા ભાગનું નામ ત્રીશાંશ છે, જેનું ૬૦ લિતાનું પ્રમાણુ હોય છે. એક લગ્નમાં પહેલા પાંચ ત્રીશાંશને સ્વામી મંગળ છે, બીજા પાંચ ત્રીશાંશને, સ્વામી શનિ છે, પછીના આઠ ત્રીશાંશનો સ્વામી ગુરુ છે. સાત ત્રીશાંશને સ્વામી બુધ છે તથા છેલ્લા પાંચ ત્રીશાંશને સ્વામી શુક્ર છે. અને બેકી લગ્નમાં તેથી ઉલટ ક્રમ છે. એટલે-પાંચ સાત આઠ પાંચ અને પાંચ ત્રીશાંશના સ્વામી અનુક્રમે શુક, બુધ, ગુરૂ, શનિ અને મંગળ છે. અહીં સામાન્ય રીતે સૌમ્યગ્રહના ત્રીશાંશમાં મુહૂર્ત કરવું શ્રેષ્ઠ છે. આ બારે રાશિના ઉત્તમ ત્રીશાંશે આ પ્રમાણે છે-મેષ ૨૧, વૃષ ૧૪-૨૦, મિથુન ૧૭, કર્ક (૪) ૮, સિંહ ૧૮, કન્યા ૮, તુલા ૨૪, વૃશ્ચિક ૧૨, ધન ૧૭, મકર ૧૪, કુંભ ૨૬ અને મીન (અ) ૮ ત્રીશાશે શુભ છે. અણહિલ્લપુર પાટણમાં મેષાદિ રાશિનુ ત્રીશાંશમાન નીચે મુજબ છે.
અક્ષર
રાશી
અક્ષર
૨૨
રાશી મેષ, મીન વૃષભ, કુંભ મિથુન, મકર
૩૨ | સિંહ, વૃશ્ચિક ૧૦ | ૧૦ કન્યા, તુલા
આ હોરા, દ્રષ્કાણ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રીશાંશની શુદ્ધિ તે પંચવર્ગ શુદ્ધિ કહેવાય છે, તેને લગ્ન સાથે ગણતાં ષવર્ગ શુદ્ધિ થાય છે. છ વર્ગથી શુદ્ધ લગ્ન અતિ શ્રેષ્ઠ કહેવાય છે. આ છ વર્ગ પૈકી પાંચ વર્ગને પતિ તે એક ગ્રહ પણ હોય છે, પરંતુ કઈ પણ ગ્રહ એકી સાથે છ વર્ગને પતિ હોઈ શક્તો જ નથી, કેમકે હોરાના પતિ સૂર્ય અને ચંદ્ર છે, અને ત્રીશાંશના પતિ મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ જ છે. એટલે સાત ગ્રહોને એકેક વર્ગનું સ્વામિત્વ નથી. વર્ગફળ માટે કહ્યું છે કે—
लग्ने नूनं चिन्तयेद्देहभावं, होरायां वै संपदाद्यं सुखं च ।। स्याद् द्वैष्काणे भ्रातृज भावरूपं, सप्तांशे स्यात् सन्ततिः पुत्र-पुत्री नून नवाशेऽपि कलत्रभावं, स्याद्वादशाशे पितृ-मातृ सौख्यम् । त्रिंशांशके कष्टफलं विलोक्यं, होरागमे होरविदो विदन्ति ॥२॥
અથ “તિવિંદ લગ્નમાં દેહભાવ, હોરામાં લક્ષ્મી અને સુખ, દ્રષ્કાણમાં બંધુ સ્નેહ, સપ્તાંશમાં પુત્ર-પુત્રીરૂપ સંતતિ, 0 1 0 નવાંશમાં સ્ત્રી, દ્વાદશાંશમાં માતા-પિતાનું સુખ, અને ત્રીશાંશમાં કષ્ટ સંબંધી વિચાર કરે છે.” | ૨