SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ મહાદશા કોન્ડક નક્ષત્ર સ્વામી અશ્વિની-મધા-મૂળ કેતુ - ૭ વર્ષ ભરણી-પૂ.ફા.પૂ.ષાઢા શુક્ર - ૨૦ વર્ષ કૃત્તિ., ઉ.ફા., ઉં. ષાઢા રવિ - ૬ વર્ષ રોહિ , હસ્ત, શ્રવણ ચંદ્ર - ૧૦ વર્ષ મૃગ, ચિત્રા, ધનિષ્ઠા મંગળ - ૭ વર્ષ આદ્ર., સ્વાતિ, શત. રાહુ - ૧૮ વર્ષ પુનર્વ, વિશા., પૂ.ભાદ્ર ગુરુ -- ૧૬ વર્ષ મુખ્ય , અનુ, ઉ. ભાદ્ધ શનિ, ૧૯ વર્ષ આશ્લે., યેષ્ઠા, રેવતી બુધ - ૧૭ વર્ષ અંર્તદશા:. પંચાંગમાં દરેક મહાદશાની અંતર્દશાનું પૃથક્કરણ કોષ્ટકમાં આપેલુ હોય છે. તે આવેલ સંખ્યા અનુસાર તારિખ વાર પ્રમાણે લખવું. મહાદશા સ્વામીનું અંતર્દશા સ્વામી જે એકમેકના શત્રુ હોય તો તે અંતર્દશા કઝકારી સમજવી. * સામાન્યથી લગ્નેશ-પંચમેશ અને ભાગ્યેશ એના સ્વામીની મહાદશા પ્રગતિકારક હોય છે. એ જ રીત ૨-૪-૮ અને ૯ મી મહાદશા સારી જાય છે. શુક્ર ગમે તેવો હોય પણ શુક્રની મહાદશા સારા ફળ આપે છે. તેથી જો આયુષ્યમાં - શુક્રની મહાદશા જો ન આવે તો એ અભાગ્ય સૂચક છે. * રાહુની મહાદશામાં મનુષ્યનાં આયુષ્યમાં અનધારી ઘટનાઓ બને છે. * અષ્ટમેશમાં - Nશ અને વ્યયેશની મહાદશા એક શુક્રને છોડીને કપકારી હોય છે. * જન્મથી ૬ ઠી મહાદશા સુન્દર પ્રગતિ કરાવે છે. ચંદ્રસિવાય બાકીના ગ્રહો સ્પષ્ટ કરવાની રીત પંચાંગમાં સવારે ૫ ક. - ૩૦ મિ, ના સ્પષ્ટ રહો હોય છે. આપનો ઈષ્ટ સહુ કયાં ૫ ક. - ૩૦ મિ. થી કયાં પ-૩૦ માં છે એ જોવું. અને ઈસ્ટ ઈષ્ટ સમયમાંથી ૫-૩૦ બાદ કરવાં. પછી બન્ને ૫-૩૦ નું અંતર ૨૪ કલાક અર્થાત ૧૪૦ મિનિટ હોય છે. ઈન્ટ ગ્રહ ૧૪૪૦ મિનિટમાં કેટલી કલા ચાલ્યો તે કાઢવું. પછી ૧૦ મિનિટે જો અમુકકલાં તો ઇષ્ટ ચલનમાં કેટલી કળા તે ગરિતાનુસાર કાઢીને પ્રથમનાં ૫-૩૦ નાં ઈષ્ટ ચહમાં ઉમેરતાં સ્પષ્ટ રાહુ આવશે. જો ગ્રહ વક્રી હોય તો તે કલા બાદ કરવી. આ રીતે દરેક ગ્રહ સ્પષ્ટ કરવાં રવિ-ચંદ્ર સદૈવ માર્ગેજ હોય છે. સ્પષ્ટ ચહકાઢ્યાં પછી નક્ષત્ર કુંડલી કરવી. સર્વ સ્પષ્ટ રાહુ અને લગ્ન કાઢ્યા પછી એનું કોઇક તૈયાર કરવું. તેમાં લગ્ન થી માંડી કેતુ સુધીના ૧૦ ઘર (ખાન) તૈયાર કરવો. પછી રાશિ, અંશ, કલા, નક્ષત્ર, ચરણ, મહાદશા, નવમાંશ દરેક ગ્રહમાં એકની નીચે એક લખવાં. આ નક્ષત્ર કુંડલીથી કયો ગ્રહ કયા નક્ષત્રમાં અને કોના નક્ષત્રમાં છે તેમ જ કયાં નવમાંશમાં છે એની સમજ પડે છે. * જે રાશિમાં ગ્રહ હોય તે જ રાશીને નવમાંશ હોય તે વર્ગોત્તમ કહેવાય. વર્ગોત્તમ ગ્રહ બળવાન અને સદૈવ શુભફળ આપે છે. * નવમાંશ કુંડલી અત્યંત પૂરક કુંડલી હોય છે. જન્મ કુંડળીમાં જો બળહીન ગ્રહ હોય અને નવમાંશમાં એ સુધરે તો શુભફળદ છે. * નવમાંશી અથવા સ્તનક્ષત્રી ગ્રહ બળવાન બને છે. નવમાંશ કુંડળીના લગ્નમાં રહેલ ગ્રહને ઉદિતાંશી ગ્રહ કહેવાય છે અને એ બળવાન હોય છે. * સર્વ ગ્રહોમાં જે ચહનાં અંશ અને કલા સર્વાધિક હોય તે ગ્રહ આત્મકારક કહેવાય, * જન્મક્ષત્રથી અનુક્રમે જે નક્ષત્ર આવે છે એને જન્મસંપત વિગેરે નામ હોય છે. આ નામો નવમાંશ નીચે લખવાં જેનાથી ગ્રહોનું શુભાશુભ સમજાય છે. ગ્રહ વક્રી છે કે અસ્તમાં એ પણ લખવું. * શુભગ્રહ વક્રી હોય ત્યારે ઉચ્ચગ્રહનું ફળ આપે છે. પાપ ગ્રહ વક્રી હોય ત્યારે અશુભ ફળ આપે છે. લગ્ન કુંડલીને કાલપુરૂષ કુંડલી કહે છે.
SR No.008460
Book TitleJyotirmahodaya
Original Sutra AuthorN/A
AuthorAkshayvijay
PublisherAkshayvijay
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Devotion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy