SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી રીત: ૧. સૂર્ય નક્ષત્રથી ૬ નક્ષત્રો બાલક છે, તે પછી બાર નક્ષત્રો યુવાન છે અને તે પછીના ૯ નક્ષત્રો વૃદ્ધ છે. (આમાં અભિજીત ગણાતું નથી.) બાલ નક્ષત્રમાં ગયેલી વસ્તુ પાસે જ ભમે છે. યુવાન નક્ષત્રમાં ગયેલી વસ્તુ પાછી આવે જ નહિ અને વૃદ્ધ નક્ષત્રમાં ગયેલી વસ્તુ જાય નહિ અર્થાતુ પાછી આવે ખરી. ૨. સર્પદંશ થયો હોય તો જીવશે કે નહિ? મૂલ, આદ્ર, ભરણી, કૃત્તિકા, મઘા, અશ્લેષા, અને વિશાખા નક્ષત્રોમાં સર્પદંશ થયો હોય તો જીવે નહિ. બીજા નક્ષત્રોમાં વે... ૩. રોગની શાંતિ થશે કે નહિ? ૧. ત્રણ પૂર્વા, આદ્ધ, સ્વાતિ, યેષ્ઠા, આશ્લેષ આમાં રોગ ઉત્પન્ન થયો હો તો મરણ પામે... (થાય) ૨. રેવતી અને અનુરાધામાં રોગ થયો હોય તો કષ્ટથી નિરોગી થાય..... ૩. મૃગશિર, ઉ.ષાઢામાં રોગ થયો હોય તો ૧ મહિને સારું થાય... ૪. મઘામાં થયો હોય તો ૨૦ દિવસે સારું થાય, ૫. વિશાખા, ધનિષ્ઠા કે હસ્તમાં થયો હોય તો પંદર દિવસે સારું થાય... ૬. (વો કહે છે કે ઉ.ષાઢામાં રોગ થયો હોય તો બે માસમાં મૃત્યુ થાય અને અભિજિતમાં થયો હોય તો બે માસમાં નિરોગી થાય... ૭. ભરણી, શતભિષા, શ્રવણ, ચિત્રામાં થયો હોય તો અગ્યાર દિવસે સારું થાય... ૮. અશ્વિની, કૃત્તિકા અને મૂલમાં થયો હોય તો ૯ દિવસે સારું થાય... ૯, પુનર્વસુ, પુષ્ય. ઉ. ભાદ્ર, રોહિણી, ઉ.ફાલ્યુ. માં થયો હો તો ૭ દિવસે સારું થાય આ સર્વ સ્થળોએ તારાની અનુકૂળતા હોય તો સારું થાય, એમ જાણવું... શુક્લપક્ષમાં જે ૩, ૫, ૭ મી તારામાં રોગ ઉત્પન્ન થયો હોય તો ઘણાં ક્લેશ પામે અથવા મૃત્યુ પામે. ૪. મૃત્યુ વિષે જ્ઞાન ૧. સૂર્ય, ચંદ્રનું અને જન્મનું એ ત્રણ નક્ષત્રો એક નાડી ઉપર આવે તો તે દિવસે રોગીનું મરણ થાય છે. શ્રી જિનેશ્વરનું વચન અન્યથા થતું નથી... (દિ. જી.) - અનુ. સ્વાતિ , ઉ.ષ. હા . રેવતી - મૃ. પન. ઉમા, વા. ઉછા વિ . 'પુરા, ઉં. સ્તન બા. ઢા ફતિર બીજી રીતે ? ત્રણ નાડીવાળો સર્ષ કરવો તેમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તે નક્ષત્ર પ્રથમ મુકવું અને તે પછી અનુક્રમે બીજા નક્ષત્રો મૂકવા તેમાં પંદર નક્ષત્રો નાડી ઉપર આવે અને બાર નક્ષત્રો બહાર રહે એ રીતે સર્પ કરીને જીવિત અથવા મરણ સ્પષ્ટ કરવું... અહિં જે જે ગ્રહો જે જે નક્ષત્રોમાં હોય, તે તે ગ્રહો તે તે નક્ષત્રો ઉપર મૂકવા અને પછી સૂર્યના નક્ષત્રથી રોગીના નામ નક્ષત્રસુધી ગણવું. તેમાં જો પહેલી નાડીમાં એટલે પહેલે નવમે, તેરેમ, એકવીસમે કે ૨૫ મે રોગીનું નક્ષત્ર હોય તો મરણ થાય... બીજા નાડીમાં એટલે બીજે, આઠમે, ચૌદમે, વીસમે કે ૨૬ મે રોગીનું નામ નક્ષત્ર હોય તો ઘણું કષ્ટ થાય અને ત્રીજી નાડી ઉપર હોય એટલે કે ત્રીજે, સાતમે, પંદરમે, ૧૯ મે કે ૨૧ મે રોગીનું નામ નક્ષત્ર હોય તો થોડું કષ્ટ થાય. બાકીના ૧૨ નક્ષત્ર ઉપર રોગીનું નામ નક્ષત્ર હોય તો આરોગ્ય થાય. અહિં શુભાશુભ ગ્રહના વેધથી પણ શુભાશુભ ફળ વિશેષ પ્રકારે કહેવું એમાં અભિજિત ગણાતું નથી... oc બબ છે
SR No.008460
Book TitleJyotirmahodaya
Original Sutra AuthorN/A
AuthorAkshayvijay
PublisherAkshayvijay
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Devotion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy