SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધાધર ચરિત્ર, જગદ્ગુર કાવ્ય, ધૂલિભ ચરિત્ર, ધર્મપરિક્ષા, યુક્તિપ્રકાશ વૃત્તિ વિગેરે ગ્રંથની રચના કરી છે. વિ. સં. ૧૨૮૧માં ધનપાલ કૃત તિલકમંજરીને સંક્ષેપમાં કરી શ્વેતાંબર સંપ્રદાયના પાંડિત લક્ષ્મીધરે તિલક જરી કથાસાર નામે ગ્રંથ તૈયાર કર્યો છે. તિલક જરી ઉપર આમ આજ સુધીનાં જે ટીકા ટિપણે હતાં તે અભ્યાસીને પૂર્ણ ઉપયોગી થાય તેવાં ન હોવાથી તિલકમંજરી ઉપર વિસ્તૃત વૃત્તિની ખુબજ આવશ્યકતા હતી અને તે પૂ. આચાર્ય લાવણ્યમૂરિ મહારાજે પરાગ નામની વૃત્તિ રચી પુરી પાડી છે. પરાગ ટીકાકારના ગુરુદેવ. આ તિલકમંજરી ગ્રંથની પરાગ ટીકાના રચયિતા પૂ. આ. લાવણ્યસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીને અપ પરિચય પણ તેમના ગુરૂ અને સકલ જૈનશાસનના શિરતાજ આચાર્યદેવ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પરિચય વિના અપૂર્ણ જ રહે તેમ છે. નેમિસુરિયુગ તપાગચ્છની પરંપરામાં પૂજ્ય આચાર્યદેવ વિજયનેમિસુરીશ્વરજી મહારાજ ૭૪મી પાટે આવે છે. પૂર્વકાળમાં હરિભદ્રયુગ, હમયુગ વિગેરે અમુક સમયને તે તે કાળના પ્રભાવિક પુરૂષના નામથી સાહિત્યકાર અને ઇતિહાસકારોએ તે કાળની સમગ્ર પ્રવૃત્તિ ઉપર તે પ્રભાવક પુરૂષને પ્રભાવ હેવાથી તે કાળને તે તે મહાપુરૂષના યુગ તરીકે ઓળખે છે. તેમ વર્ત. માનમાં પણ વિ. સં. ૧૯૬૪ પછીથી આજસુધીને કાળ વિજયનેમિસુરિયુગ કહીએ તે વાંધા જેવું નથી. પૂ. આ. વિજયહીરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આચાર્ય વિજયસિંહસૂરીશ્વરજી સુધી બધે કાળ હીરસુરિયુગ તરીકે પ્રસિદ્ધ છે. જો કે પૂ. વિજયહીરસૂરિજીના કાળ કરતાં પણ સવાઈ જનશાસન પ્રભાવના પૂ. વિજયદેવસૂરિજીમ.ના કાળમાં જેન મંદિર, વિદ્વાને અને પૂ. શ્રમણ મુનિઓની પ્રાસૂર્યતાથી થઈ હોવા છતાં તે બધામાં મૂળરૂપ પ્રભાવ તે પૂ. વિજયહીરસૂરીશ્વરજી મહારજાતેજ હતું. તેમ આ કાળમાં બીજ બીજા આચાર્યોના હાથે કેટલાંક વિવિધ શાસનનાં સુવિહિત કાર્યો થયા છતાં આ બધામાં પ્રેરણા અને વિચાર ઉદ્દગમના મૂળ તે પૂ આયાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજજ છે. દ્વહન. પ્રસિદ્ધ વાત છે કે, વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ પછી ગોદ્રહનપૂર્વક આચાર્યપદવીની પરિપાટિ ભૂલાઈ હતી એટલું જ નહિ પણ ગેપદ્ધહનપૂર્વક આચાર્યપદ લેવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી. દીર્ધદ્રષ્ટા સ્વ. પુજ્ય આચાર્ય દેવે વિચાર્યું કે જે આ રીતિ વિકસી તે ગે
SR No.008455
Book TitleTilakamanjiri Part 1
Original Sutra AuthorN/A
AuthorDhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
PublisherVijaylavanyasurishwar Gyanmandir Botad
Publication Year
Total Pages196
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy