SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ 5-555555555535-45岁 પ્રકાશકીય-નિવેદન સતનય, સપ્તભંગી અને નિક્ષેપ વગેરે વિસ્તારથી બોધ આપતે “નોપદેશ' નામનો કરે આ ગ્રન્થ છે. આ ગ્રન્થ દાર્શનિક વિષયને લગતા છેલ્લી કેટીના વિચારોથી અને અનેક પ્રકારના વાદથી ભરપૂર છે; જેવા કે ચિત્રવાદ, અપેક્ષાબુદ્ધિવાદ પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ વાદ વગેરે. તથા તે તે વાદેને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચેલ છે. આ ગ્રન્થના પ્રણેતા ને પૂજ્યપાદ જૈનન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ છે, તેમના જીવન અને કવન વિશે કેટલાયે વિદ્વાનોએ ખુબ જ પ્રકાશ પાડ્યો છે; તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી, પરંતુ ન્યાયના પ્રખર પાંડિત્ય વિષે 3E કે એટલું કહેવું જરૂરી છે કે તેમણે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિતો સાથેના શાસ્ત્રાર્થમાં જીત મેળવવાથી એ જ પંડિતમંડલીએ “ન્યાયવિશારદ' ની પદવીથી વિભૂષિત ક્યાં હતા, તથા ન્યાયના એક સો આઠ ગ્રન્થ રચ્યા બાદ “ ન્યાયાચાર્ય'ની પદવીથી નવાજ્યા હતા. આ જ ગ્રન્થ ઉપર તેઓશ્રીએ “નયામૃતતરંગિણી' નામની ટીકા રચી છે. તેમની કસાએલ વિદ્રોગ્ય કલમથી લખાયેલ આ “નયામૃતતરંગિણી યુક્ત નપદેશ” નામનો ગ્રંથ આધુનિક પ્રજાને ટીકા વિના સાંગોપાંગ સમજવો મુશ્કેલ હતું તથા ઘણે સ્થલે મૂલ ગ્રન્થમાં અશુદ્ધ હતું, તેથી પૂજ્યપાદ શાસનસમ્રાટ સવંતસ્વત– આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણ વાચસ્પતિ શાસ્ત્ર વિશારદ કવિરત્ન પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ધિયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ પિતાની કુશાગ્રબુદ્ધિથી બને તે રીતે શુદ્ધ કરવા સાથે વિદ્વત્સમાજ તેમજ તત્વરસિક જ સહેલાઈથી પ્રવેશ કરી શકે તે અર્થે આ ‘નયામૃતતરંગિણી ટીકા યુકત નપદેશ' ગ્રન્થ પર નયરૂપી અમૃતથી ભરેલ વિશાલ નદીનું અવગાહન કરવા માટે નૌકા સમાન “તરંગિણતરણું” નામની સુંદર ટકા રચી છે, તે અમે સહર્ષ ક પ્રકાશિત કરીએ છીએ. મૂલ ગ્રન્થ અપ્રતિમ પ્રતિભાશાલી છે એ તે વાત નિઃશંક છે, GF પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ “તરંગિણતરણી’ વિવૃતિ રચી પિતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે, તે સાઘન્ત સૂમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે, એટલું જ નહિ પરંતુ “તરંગિણું તરણ” વિવૃતિની 3 સાર્થકતાને સાક્ષાત્કાર થયા વિના રહેતું નથી. જૈનન્યાયની સાહિત્યસૃષ્ટિમાં આ ગ્રન્થ અને પ્રકાશ ફેંકે છે, તેની જિજ્ઞાસાવાળા મહાનુભાવોને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું | નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ, જેથી ગ્રંથ ને ટીકાની મહત્તાને ખરો ખ્યાલ આવી શકશે. પૂજ્ય વિદ્વઢયે પંચાસજી મ. શ્રી સુશીલવિજયજી ગણિવર્યે તથા પૂજ્ય વિદ્વાન કે મુનિરાજશ્રી મહિમાપ્રભવિજયજી મહારાજે પ્રેસકોપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ કે ઉઠાવ્યા છે તે, અને પ્રસ્તુત ગ્રંથનું સાધન મુફ વિગેરેનું સંશોધનકાર્ય, વ્યાકરણ તીર્થ પં. અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશલતાથી કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે. 另一步一步步为55555555 听飛乐美乐飛飛飛飛乐天五飛飛飛飛五路飛義 義$飛飛飛飛飛飛飛飛飛飛飛飛吓飛吓飛吓飛
SR No.008444
Book TitleNayopadesha Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorLavanyasuri
PublisherVijaylavanyasurishwar Gyanmandir Botad
Publication Year
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy