SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શિલ્પ રત્નાકર [ચતુર્થ રન વાહનેદય પ્રમાણ अर्चायास्तु नवांशेषु पश्चषट्सप्तभागिकः ॥ गुह्यनाभिस्तनान्तो वा त्रिविधो वाहनोदयः ॥१११॥ દેવતાની મૂર્તિમાં પગથી શિખા સુધી નવ ભાગ કરવા. તેમાં પાંચ, છ અને સાત ભાગ સુધી વાહન ઉંચું કરવું અથવા ગુદ્દભાગ, નાભિ અને સ્તનભાગ - (વક્ષસ્થલ) ના બાબર વાહનેદય કરે એટલે વાહનની દૃષ્ટિની ઉચાઈ રાખવી. ૧૧૧. पादजानुकटिं यावदर्चाया वाहनस्य च ॥ वृषस्य विष्णुभागान्तः सूर्ये चाप्यंसकान्तकः ॥११२॥ દેવતાના ચરણ, જાનુ (ઢીંચણ) અથવા કટિપર્યત વાહનને ઉદય કરે અને મહાદેવના વૃષ (પિયિા) ને ઉદય લિંગન વિભાગના અંત (જળાધારી) સુધી તથા સૂર્યના વાહનને ઉદય અંસ (ભા) સુધી ક. ૧૧૨. પ્રાસાદની ચતુદિધુ અન્ય પ્રાસાદ વિધાન. સત્તર પુછશ્ચક રામક્ષિોર્ડિશ | प्रासादं कारयेदन्यं नाभिवेधं विवर्जयेत् ॥११३॥ . દેવાલયના અગ્રભાગે, પાછળના ભાગે તથા ડાબી અને જમણી તરફ બીજા પ્રાસાદે કરવા અને તેમને નાભિવેધ વ અર્થાત્ મુખ્ય પ્રાસાદ અને મંડપના ગર્ભે કરવા. ગર્ભ છેડીને કરવાથી નાભિધ ઉત્પન્ન થાય છે. ૧૧૩. शिवस्याग्र न कर्तव्या त्व रूपेण देवता ॥ प्रभा नष्टा न भोगाय यथा तारा दिवाकरे ॥११४॥ શિવના દેવાલયની સન્મુખ બીજા દેવતાનું દેવાલય પૂજવાના રૂપમાં કરવું નહિ; કારણ કે તે દેવતાનું તેજ ( પ્રભા નષ્ટ થાય છે અને ફળ આપવાને અસમર્થ બને છે. જેમ સૂર્યોદયમાં તારાઓ નષ્ટપ્રભાવાળા થાય છે અને પ્રકાશ આપી શકતા નથી તેમ શિવની આગળ બીજા દેવતાએ નષ્ટપ્રભાવવાળા થાય છે તેથી સુખ અપવાને અસમર્થ બને છે. ૧૧૪, शिवस्याग्रे शिवं कुर्याद् ब्रह्माणं ब्रह्मणोऽग्रतः ॥ विष्णोरग्रे भवेद् विष्णु ने जैनो रवे रविः ॥११५॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy