SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બર-વના. વાંચવાના બાને કોઇને ગ્રંથ મળે તો તે પંદર દિવસનું કામ હોય તે પણ બમણી ફી આપી બે દિવસમાં લખાવી ઘરમાં બધી મુકે, લેખકે રોકડ ભૂલ કરી હોય તેને દૂર કરવાનું સાધન વિદ્યા છે પણ તે તે પ્રથમથી જ વિદાય થયેલી હતી, તોપણ જ્યારે કે ઠેકાણે શિપકામની તકરાર પડે તે વખત બેલી ઉઠે કે મારી પાસે શિપના ફલાણા ફલાણા છે છે તેમાં ફલાણી રિતે કહ્યું છે, સામાવાળા વાંચી બતાવવા કહે ત્યારે તે કહેશે કે ચાલે - લાણા ગોર પાસે ? ! ! શિલ્પના પારિભાષિક શબ્દોમાં ગેર શું જાણે છે તે પણ પગે વળગેલી બલા ટાળવા આડું અવળું સમજાવી કાઢે, એ રીતે શિલ્પશાસ્ત્ર ઉપર “પાણી ફરી વળ્યું છે, તે પણ મજે કેસીલા તાલુકે પાલી ઇલાકે જોધપુરના ગામના સેમપુરા શિલાવટ કેવળરામ રઘુનાથજી વૃદ્ધ વયના છે તેમણે પિતાની પાસેનાં કેટલાંક પુસ્તકો અને પ્રાચીન વખતના નકશાઓ રાજવલ્લભને મદદ કરતા થાય તેવા હિમ્મતવિજયજી સાથે મોકલ્યા હતા, તે કેવળરામને બીજા કારીગરોના રવાવની અસર થઈ નથી માટે ધન્ય માનિયે છિયે. સાંપ્રતકાળમાં નીતિવાન ઈગ્રેજી રાજ થયા પછી અનેક સુખ પ્રાપ્ત થયાં, વૈભવ પ્રકાશ પામ્યો અને ભય દૂર થવું અનેક ગ્રંથ પ્રસિદ્ધ થયા, થાય છે અને થશે પણ રાજ્યાશ્રય વિના ગ્રંથને જે માન મળે છે તે જાણે વાદળમાં ઢંકાયેલા સૂર્યના જે પ્રકાશ પામે છે, પણ રાજવઠ્ઠભના કર્તાએ અનેક ગ્રં થોનું સંશોધન કરી રાજાના આશ્રય નીચે રચવાથી રાજવલ્લભનું નામ સાંભ બનારને વાંચવાની ઈચ્છા થાય છે તથા જે વાંચ્યો હશે તે વખાણે છે, એનું કારણ સૂર્યવંશને ઉન્નતિ આપનાર હિંદુપન પાતસાહ બિરૂદ જેને પ્રાપ્ત થયેલું છે એવા મેદપાટ (મેવાડ) જનપદના ઉદેપુરની રાજગાદીએ મહારાણાની એકતાળીસમી પેઢીમાં થયેલા પ્રતાપી મહારાણા કુંભકર્ણ” (કુરાણે ) જેની રસી વખણાતી સર્વ સતીઓની શિરોમણિ “મીરાંબાઈ” આખા ભ. ખંડમાં પ્રસિદ્ધ છે. તે કુંભકર્ણ મહારાણા કુંભલમેર નામનો મોટો કિલે બનાવ્યો છે, તો બીજે કિલ મેવાડમાં નથી, તે સિવાય બીજા કિટ્ટા, તળાવ અને ૬. વાઓ તેણે કરાવેલા છે, તે વખતે તેને શિલ્પશાસ્ત્રી કોણ હશે તે જાણવામાં આવે તેમ ન હતું, પણ પૂર્વે ઘણા દેશ ઉપર સત્તા ભેગવનાર ગુર્જરદેશમાં અણહિલપુર તે અણહદપુરજ હતું, કેમકે, તેમાં વસનાર લોકો સર્વ પ્રકારે કુશળ હુતા. અરે ! લોકે તે શું, પણ મહારાજા ભેજ અને ભીમદેવની સભાના પંડિતમાં શાસ્ત્ર અને સમશ્યાના સંવેદના સંગ્રામ થતા તે વખત ભજની સભાના પતિના ગર્વ અહિલ્લપુરની વેશ્યા ઉતારતી હતી ! ! એ
SR No.008429
Book TitleRajvallabha athwa Shilpashastra
Original Sutra AuthorN/A
AuthorNarayanbharati Yashwantabharti Gosai
PublisherMahadev Ramchandra Jagushte Ahmedabad
Publication Year
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy