SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા અધ્યાયમાં મૂર્તિ અને સિંહાસનનું માપ, ગભારાનું માપ, દેવેની દષ્ટિ, દેવોનાં પદસ્થાન, ઉરુગાદિ શગોનો ક્રમ, રેખાવિચાર, શિખર, આમલસાર, કલશ, શુકના કેણીમંડપ આદિનું વિધાન, સુવપુરષ અને તેનું સ્થાન, ધ્વજાદંડનું માન અને તેનું સ્થાન આદિનું વર્ણન છે. દેવદૃષ્ટિ સ્થાન: દેવોની દષ્ટિ વિષયમાં શિલ્પીઓમાં મતભેદ ચાલે છે. તેમાં કેટલાક શિલ્પીઓ શાસ્ત્રમાં કહેલા ભાગમાં દૃષ્ટિ રાખતા નથી, પણે કહેલે ભાગ અને તેની ઉપરનો ભાગ એ બને ભાગની સંધિમાં આંખની કીકી રહે તે પ્રમાણે દૃષ્ટિ રાખે છે, જેથી તેમના હિસાબે એક ભાગમાં દૃષ્ટિ રાખવાનો મેળ આવતો નથી, તેથી શાસ્ત્રના હિસાબે દૃષ્ટિ સ્થાન ન હોવાથી તે પ્રામાણિક મનાય નહિ. દષ્ટિ વિષયમાં અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૩૭ માં લખે છે કે--- ઉંબરો અને તરંગની મધ્યમાં કારના ચોસઠ ભાગ કરવા; તેમાંના એક, ત્રણ, પાંચ આદિ બત્રીશ વિષમ ભાગોમાં દેદની દૃષ્ટિ રાખવી એ શુભ છે અને બે, ચાર, છ આદિ બત્રીશ સમભાગમાં કોઈ પણ દેવની દષ્ટિ રાખવી નહિં. આ પ્રમાણે હોવા છતાં અને શિલ્પીવર્ગ એવું જાણતા હોવા છતાં પણ જે શિલ્પી બે ભાગની મધ્યમાં દેવોની દ6િ રાખે છે તે તેમના હઠાગ્રહ સિવાય બીજું શું કહેવાય ? કાઈ શિક્ષા આ દષ્ટિ બાબતમાં શંકા કરે છે કે–વિવેકવિલાસ” ના પ્રથમ સંગના લેક ૧૫૮ માં “કાજarefમમતાક્ષાત્ વિધ' દ્વારશાખાના આઠ ભાગ કરવાનું લખે છે. જેથી ઉબરે ગાળવામાં આવે ત્યારે દૃષ્ટિનું માપ શાખાના માને ગણવું જોઈએ. આ શકા યાજબી ગણાય. * વિવેકવિલાસ' માં ઉંબરાને ગળવાનું કહ્યું નથી પણ “ અપરાજિતપૃચ્છા” આદિ ગ્રંથોમાં ઉંબરાને કારણસર ગાળવાનું લખે છે. છતાં ઉંબરાના ઉપરથી એતરંગને પિટા ભાગ સુધીના મધ્ય ભાગમાં દષ્ટિસ્થાનના ભાગે કરવાનું લખે છે. જે તેમને ગાળેલા ઉંબરા ઉપરથી માપ લેવું ન હોત તેઓ બીજો મત પણ લખત. પણ તેમ ન કરતાં એક જ મત બતાવે છે, તેથી ઉબારો ગાળો હોય ત્યારે પણ ઉંબરાના ઉપરથી જ માપ લેવું જોઈએ એ વાસ્તવિક ગણાય. દેવોના પદસ્થાન સંબંધમાં શાસ્ત્રીય મતમતાંતર ચાલે છે, પણ દરેકનો સારાંશ એ કે દીવાલથી પ્રતિમાને દૂર રાખવી, દીવાલને અડાડીને કોઈ પણ દેવની પ્રતિમા સ્થાપન કરવી નહિ. આ વિષયમાં આ સંથકાર મતમતાંતરને છોડીને ગભારાના ઉપરના પારથી આગળના ભાગમાં દેવાને સ્થાપન કરવાનું લખે છે તે વાસ્તવિક ગણાય છે. રેખા : શિરપી રેખા સંબંધી જ્ઞાન માટે વિસ્મરણશીલ થઈ ગયા જણાય છે. શિખરની ઊંચાઈના વલણનો નિશ્ચય કરવા માટે સૂતરની દોરી વડે જે કમળની પાંખડી જેવી પાયાથી સ્ક'ધ સુધી લીટીએ દેરવામાં આવે છે તેને “રેખા” કહેવામાં આવે છે. રેખાઓથી શિખર નિર્દોષ બની જાય છે. આ ખાતે શાસ્ત્રકાર ‘ચન્દ્રકલા રેખા” કહે છે. તે બસ ને છપન પ્રકારે બનાવી શકાય છે. જેમક પ્રથમ ત્રખંડના એક ખંડ માનવામાં આવે છે. પછી એક એક અઢાર ખંડ સુધી ધારવામાં આવે છે. જેથી કુલ સેળ ખંડ થાય છે. તે પ્રત્યેક ખંડને ચારના ભેદ વડે સોળ સોળ ફળરેખા ઉત્પન્ન થાય છે. એટલે ૧૬ ૪ ૧૬ = ૨૫૬ રેખાઓ થાય છે. તે પાયાથી સ્કંધ સુધી, આમલસાર સુધી અથવા કલશ સુધી એમ ત્રણ પ્રકારે દોરવામાં આવે છે. પ્રત્યેક ખંડમાં ચાર ચાર રેખાઓ વધારીને કરવામાં આવે છે. જેમકે પ્રથમ ત્રિખંડમાં ૮, ૮; બીજા અણુખંડમાં ૧૨, ૧૨; સોજા પંચમંડમાં ૬, ૧૬. એ પ્રમાણે અનુક્રમે ચાર ચાર રસ્તાઓ
SR No.008426
Book TitlePrasad Mandana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherBhagwandas Jain
Publication Year1986
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy