________________
मध शिखराधिकार બાબાસાપુ –ાયત્તર સંગ્રવામિ yણ કરના
न्यसेद् देवालयप्येवं जीव स्थान फलं भवेत् ॥४९॥ स्कंधोय तत स्थाप्य ताम्र पर्यक संस्थिताम् । शयनं चापि निर्दिष्टं पद्मं चै दक्षिण करे ॥५०॥ त्रिपसाक करं वामे कार्ये हृदि संस्थितम् । धृतपात्रं स्यो परि पर्यके सुवर्णपुरुषे ॥५१॥ प्रमाणं तस्य वक्ष्यामि अौगुले चैक हस्तकम् ।
अर्थांगुला भवेद् वृद्धि र्यावपंचाश हस्तकम् ॥ ५२ ।। હવે હું સુવર્ણના પ્રાસાદ પુરુષ જે જીવ સ્થાન રૂપ છે તે આમલ સારામાં પધરાવવાને વિધિ જે ફળ રૂપ છે તે કહું છું. બાંધણના મથાળે આમલસારામાં ત્રાંબા કે ચાંદીને લીયે ( રેશમના દોરાની પાર્ટી કરી) ગાદલી ઓશીકું રેશમનું કરી તે પર સુવર્ણને પ્રાસાદ પુરૂષ જેના જમણા હાથમાં કમળ અને ડાબે હાથ ત્રણ શિખાવાળી પતાકા ધારણ કરેલ હાથ હૃદયે છાતીએ રાખેલ હોય તેવી આકૃતિવાળી પધરાવવી (સુવરાવવી.) આમલસારમાં ત્રાંબાને ધી ભરેલ કળશ પાત્ર ઉપર હેલીઓ મૂકી તે પર સુવર્ણની પ્રાસાદ પુરુષની મૂતિ સંપૂટ રૂપે સખી સુવરાવવી. તેનું પ્રમાણુ કહું છું. પ્રત્યેક ગજે અર્ધા અર્ધા આંગળની તેમ પચાસ હાથ સુધીના પ્રાસાદનું પ્રમાણ પ્રાસાદ પુરુષનું જાણવું.૧૩ ૪૯-૫૭-૫૧-૧૨,
(૧૨) સુવર્ણ પ્રાસાદ પુરુષના ડાબા હાથમાં ત્રણ શીર્ષકવાળી પતાકા દેવાનું કહ્યું છે અને તે પ્રથા શિખરમાં વાપુરુષનું પણ કરે છે. ત્રિપતાકને અર્થ તેવી ધ્વજાને બદલે હસ્તમુદ્રા એમ કેટલાક માને છે. વજાને બદલે ત્રિપાક હસ્તમુદ્રા કરવાનું કહે છે.
(१२) सुवर्ण प्रासाद पुरुषके याये हाथमें तीन शीर्षकवाली पताका देनेके लिये कहा है। और यह प्रथा शिखरमें ध्वजा पुरुष भी करते हैं। त्रिपताकका अर्थ वैसी ध्वजाके बदले हातमुद्रा कई लोग करते हैं। ध्वजाके बदले त्रिपताक हस्तमुद्रा कहते हैं।
(૩) આમલસારમાં મધ્યમાં ઉંડુ ગોળ સાલ ખોદી તેમાં પ્રથમ ગાયનું ઘી ભરેલ શેર સવાશેરના કળશ ઢાંકણું બંધ કરી કપડું બાંધી મૂકે તે પર પાતળું આરસનું પાટિયું ઢાંકી તેના પર સુવર્ણ પુરૂષની ગાદીવાળે હેલીએ ચાંદીનો મૂકી તેમાં પ્રાસાદ પુરુષની ભૂતિ સુવરાવવી તે પર બે ત્રણ કે ચાર આંગળ જેટલી ખાલી જગ્યા રહે તેમ આરસનું પાતળું પાટિયું સંપૂટની જેમ ઢાંકી દેવું. તે પછી પ્રતિષ્ઠા સમયે કળશ સ્થાપન કરવાને કળશના સાલ જેટલી ઉંડાઈ રાખી આમલસારાનું વચલું સાલ વધારાનું પૂરી દેવું. સુવર્ણ પ્રાસાદ પુરુષ દબાય નહી તેમ ઢાંકવું સંપૂટની જેમ ખાલી જગ્યા રાખી સુવર્ણના પ્રાસાદ પુરુષને પધરાવો સુવર્ણ પુરૂષને પ્રાસાદમાં છાતીયા ઉપર શિખરીના થરમાં કે શુકનાશ ઉપર પધરાવી શકાય એમ કહ્યું છે.