________________
૩૮૪
ઉપર જે નક્ષત્રા ગણાવ્યાં છે, તેમાં ત્રણે પૂર્વ તથા ત્રણે ઉત્તરા એ છ નક્ષત્રો બીજા ગ્રંથકારોએ ગણાવ્યાં નથી. તેઓએ તા ભરણો, કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, મઘા, વિશાખા, અને મૂલ આ નક્ષત્રાને જ ઉલ્લેખ કર્યો છે. જેમકે શ્રીપતિ ભટ્ટઃ— યઃ કૃત્તિકામૂલમધાવિશાખાસર્પીન્તકાઈસુ ભુજંગ છે? સ જૈનતેચેન સુરક્ષિતપિ પ્રાપ્નાતિ મૃત્યા: સદન' મનુષ્ય: અર્થાત- જે મનુષ્ય કૃતિકા, મૂળ, મઘા, વિશાખા, આશ્લેષા, ભરણી અને આર્દ્રમાં સર્પદશ પામે છે, તેની ગરુડ રક્ષા કરે તા પણ તે મૃત્યુ પામે છે. જ્યોતિર્વિદાભરણમાં કાલિદાસઃ—
કાશ્મનવે’દ્રાગ્નિભરાજમૌલિભ ધાશિક્ાશામન ઈંદ્રે શુકલ : દષ્ટા નરા ય: શ્વસનાનેન વૈ સ તાક્ષ્ય સખ્યાપિ હાતિ જીવિતમ્ ॥
કૃતિકા, વિશાખા, આર્દ્રા, મઘા, મૂળ, ભરણી અને આશ્લેષા એ સાત નક્ષત્ર જ કાર્શોનવ, ઈંદ્રાગ્નિ, રાજમૌલિ, મન્ના, શિકા, શામન અને દશુકલમ એ પર્યાયેાથો સૂચવ્યાં છે.
તિથિએ સંધમાં મતમતાંતર છે. ઘણાએ તેવું કંઇ કહ્યું નથી. જ્યારે કેટલાક કહે છે કે:
અષ્ટમી પાંચમી પૂર્ણ અમાવાસ્યા થતુ શી અશુભાસ્તિથય: પ્રાક્તા: સર્પષ્ટ વિનાશકા:
આઠમ, પાંચમ, પૂર્ણિમા, અમાવાસ્યા અને ચતુર્દશીએ સર્પદંશ થએલાના નાશ કરનારી અશુભ તિથિયેા છે. નક્ષત્રાના વિષયમાં પણ મતાંતર છે. જેમકે
કૃતિકા શ્રવણુ મૂલ વિશાખા ભરણી તથા પૂર્વાસ્તિસ્તથા ચિત્રાલેષા દ્રષ્ટા ન જીવતિ
આમાં શ્રવણ, ચિત્રા એ એ નક્ષત્રોના ( બીજાઓએ સારાં ગણાવેલાં છે છતાં, ખરામ તરીકે) સમાવેશ કરેલા છે.