SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ પછી ઉત્તરપ્રદેશમાં રક્ટના બીરલાનું એરિસાલીનું રાજરાણું મંદિરની પ્રતિકૃતિ રૂપ સને ૧૯૭૦ના અરસામાં ચાલતું ત્યારે અવારનવાર બનારસ થઈને રેણુકુટ જવાનું થતું. બનારસમાં શ્રી મધુસુદન ઢાકી અમેરીકન એકેડેમીમાં શિલ્પના શબ્દકોષના કામમાં રોકાયેલા. તેઓ મને બનારસ ઉપરોકત ચારે ગ્રંથના સંશોધન માટે બનારસ રેકતા. કમનસીબે આ કાર્ય પડી રહ્યું. હમણા સને ૧૯૭૬માં આ ગ્રંથના પ્રકાશન માટે મારી યથા શકતી શુદ્ધી કરી પ્રકાશન માટે તૈયારી કરી રહ્યો છું. સૂત્રધાર મંડન કૃત વાસ્તુસાર પ્રકાશીત હમણું થયું છે. અને દીપાવ ગ્રંથને ઉતરાધ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યો છું. દીપાર્ણવ ગ્રંથના ચૌદ અધ્યાયે ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રાપ્ત થયા તે અન્ય સાહિત્ય સાથે દીપાર્ણવ જેવા મોટા ગ્રંથ સને ૧૯૬માં પ્રકાશીત કર્યો હમણું રાજસ્થાન સાદડીના સભપુરા ચંપાલાલ મનસુખજી પાસેથી દીપાર્ણવના અપૂર્વ અપાયે ૧૫ થી ૨૩ એમ નવ અધ્ધા પ્રાપ્ત થયા તે દીપાર્ણવ ઉતરાર્થના નામે પ્રકાશીત કરી રહ્યો છું. હજુ પણ મને લાગે છે કે આ ગ્રંથ વેરવિખેર હોવાથી અન્ય સ્થળે જો વિશેષ અષા પ્રાપ્ત થાય તે પ્રકાશીત કરવા જોઈએ. રાજસ્થાનની પ્રતમાં ગર્ભગૃહને અધ્યાય પાઠ જુદો હોવાથી તે અહીં જુદા પ્રકાશત કરું છું. ' વર્તમાનમાં ચાલીશેક વર્ષથી ભવસ્થાપત્ય મેડન આર્ટના નામે વીકૃતી ભવનના મુખ દર્શનમાં આવી રહી છે. કળાના જ્ઞાતાને તે ધૂણુ ઉપજાવે. પ્રથમ છજા જાળીયા જરૂખા, સ્તંભે, મળે, (કેટ) આદિથી ભવનનું મુખ દર્શન શેભતુ. આપણા દેશના એજીનીયરે પરદેશનું અનુકરણ કરી ભારતીય કળાને વિકૃત કરી હયા છે. કળાને વંસ થઈ રહ્યો છે. ભવનની અંદરની સુખ સગવદ વર્તમાન કાળને અનુસરીને કરવી જોઈએ. જગતમાં વિકાસ સાથે આપણે ચાલવું જોઈએ. યોગ્ય વિકાસ સ્વી કારીયે પરંતુ દેશની કળાની વિકૃતી તે ન જ થવા દેવી જોઈએ. રાજસ્થાન મેવાડમાં રોકાએ શિપીઓને પારિતોષિક તરીકે ગામ, ગરાસ, આપતા. શિપીને સુવર્ણગજ અર્પણ કરતા. તે શિપીના કુળનું બહુમાન ગણાતું. સંવત ૧૮૯૩માં શેઠ મોતીશાહ તરફથી શત્રુંજય પરની પ્રતિષ્ઠા પ્રસંગે અમારા પ્રપિતામહને સુવર્ણને ગજ અર્પણ કરેલ સોમનાથ મહાપ્રાસાદની પ્રતિષ્ઠા સમયે વિ. સં. ૨૦૧૦માં ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે મને સુવર્ણગજ અપર્ણ કરેલ ઉતરપ્રદેશના રેણુકુંડના પ્રાસાદની પ્રતિષ્ઠા સમયે શ્રી બીરલા છએ ચી, બળવંતરાયના નામ ચી. ચંદ્રકાન્તને સુવર્ણગજ અર્પણ કરેલા. મારા ૬૦ વર્ષના લાંબા કાળના સક્રીય વ્યવસાય દરમિયાન દેશના જુદા જુદા પ્રદેશમાં પ્રાસાના લાખે અને કેટલાક કરેડના વ્યયે નીર્માણ કરેલા છેસૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, બંગાળ, આંધ્ર, કર્ણાટક, કેરાલા, બંગાળ, બીહાર પ્રદેશમાં પ્રાસાદના નિર્માણ કરેલા છે.
SR No.008416
Book TitleDiparnava Uttarardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy