SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા મનુ ચાલુસના વંશમાં વિશ્વકર્મા પ્રગટ થયેલા છતાં વિશ્વકર્મ કયા કયા યુગમાં થયા તે પ્રશ્ન છે. પરંતુ પ્રત્યેક યુગમાં તેમના અંશરૂપે પ્રગટ થયેલા છે. વિશ્વકર્માના ચાર માનસ પુત્ર જય, મય, સિદ્ધાર્થ, અને અપરાજિત હતા સિદ્ધાર્થને ત્વષ્ટાના નામે પણ ઓળખાવે છે તે લેહકર્મ યંત્રકમમાં પ્રવિણ ગણતા સ્કંધપુરાણને પ્રભાસ ખંડમાં સેમપુરા શિપિ ઉત્પતિ શિલ્પકમને જ્ઞાતા સેમપુરા વિશ્વકર્મા સ્વરૂપ પુરાણમાં કહ્યા છે. શ્રી સોમનાથજીની આજ્ઞા વડે વિશ્વકર્માના અનુગામી પાષાણ કર્મના કર્તા ચોરાશીકળાના જ્ઞાતા ચોરાશી બ્રાહ્માણમાં સેમપુરાને પુરાણોમાં વર્ણવ્યા છે જુદા જુદા કાળમાં અને વર્તમાન વિશ્વકર્મા પ્રગટ થયા તે શિલ્પ સ્થાપત્યાદિ કળા કીયાના જ્ઞાતા વિશ્વકર્મા રૂપ જ જાણવા ઈસ્વીસનની પાંચમી શતાબ્દીમાં માળવાના મંદસોરના શિલાલેખમાં લાટ દેશના સેમપુરા શિલ્પી માળવા અને રાજસ્થાન પ્રદેશોમાં આવ્યાને ઉલ્લેખ છે. દક્ષિણ ગુજરાત લાટ પ્રદેશમાં વિહારે ગુફાએ તેઓએ નિર્માણ કરેલી, આઠથી શતાબ્દીમાં રાષ્ટફટ વંશના કૃણ રાજાએ લાટ દેશના શિલ્પીઓને નિમંત્રીને ઈલોરા પર્વતમાં એક જ આખા પહાડમાંથી કેલાસ મદિરની અદ્દભુત રચના કરાવેલી તેવું. તેના તામ્રપત્ર પરથી જણાય છે. ભારતના શિલ્પિઓએ પુરાણના પ્રસંગને પાષાણમાં સજીવ રૂપ આપ્યું છે. તેમના ટાંકણાની સર્જન શક્તિ પરમ પ્રસંશાને પાત્ર છે જડ પાષાણને વાચા આપના કુશળ શિલ્પિઓ પણ શાશ્વત કવિઓ જ છે. ભારતીય શિલ્પીઓએ કળા દ્વારા સ્વર્ગ વૈકુંઠને પૃથ્વી પર ઉતાર્યું છે. જડ પાષાણમાં પ્રેમ શૌર્ય હાસ્યને કરૂણાના ભાવે મૂર્તિ મંત્ર કરવાનું બહુ કઠીન કાર્યો કર્યા છે. ચિત્રકારતે પછી વડે તે ભાવે દર્શાવી શકે પરંતુ રંગ વિના પાષાણમાં ભાવાત્મક સર્જન કરવતું કઠીન છે, ત્યાંજ તેની અપૂર્વ શકતી રહેલી છે. ભારતીય પ્રાદેશીક શિક પૌલી સામાન્ય રીતે છે તેને પાશ્ચાત વિદ્વાન સંપ્રદાયિક શૈલીઓથી ઓળખાવે છે તે તદ્દન અયુકત છે. જગત્કર્તા ઈશ્વરનું મનુષ્યને ઈશ્વરમાં ધ્યાન માટે એગની સીદ્ધિને સારૂ મૂર્તિની આવશ્ય કતા સ્વીકારવી પડે છે. ભકતી માર્ગમાં પ્રતિમા અવલંબન રૂપ છે. પ્રારંભ નિરાકાર લિંગ પૂજ્યથી થયે હશે તે પછી સાકાર મૂર્તિની કલ્પના થઈ અને તેવી પૂજય પ્રતિમાની સ્થાપનાને પ્રાર્થના સારૂ સ્થાપના મંદિરની આવશ્યકતા ઉભી થઈ કાળ બળે અનેક દેવ દેવીઓના મંદિરે ભારતમાં થવા લાગ્યા. મૂર્તિ વિધાનમાં સર્વ શિલ્પીઓ સરખા કર્તવ્યશીલ હોતા નથી. તેમ કાળ બળે પણ કળા કૃતિમાં પણ ભિન્નતા આવી જાય છે. ઈ. સ. પૂર્વેના ૭૨૭ અને મૌર્યકાળની . સ. પૂ. ૩૨૫ તે પછીની ઈંગ કાવકાલ ઈ.સ. ૧૯૫ અને કુશ કાળ ઈ. સ. ના પ્રારંભ કાળ સુધીની મૂર્તિઓના અવશેષ પ્રાપ્ત થયેલા છે તે ભાવવાહ છે પરંતુ સ્કૂલ રૂપ જણાય છે. વચ્ચેના ગાંધાર પ્રદેશની મૂર્તિઓ ઘણી સુંદર મળે છે. તે પ્રદેશના શીપી
SR No.008416
Book TitleDiparnava Uttarardha
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherPrabhashankar Oghadbhai Sompura Palitana
Publication Year
Total Pages112
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy