________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫૯] નથી, તો તે ક્યાં હશે? એના વગરનો આ મહેલ વગડા જેવો ખાલીખમ ભાસે છે. માટે તમે પૂછો કે તે ક્યાં છે? પ્રહસ્તે ત્યાંના લોકોને પૂછીને કુંવરને જણાવ્યું કે એના ચારિત્ર ઉપર સંદેહ થવાથી માતાજીએ તેને મહેન્દ્રનગર મોકલી દીધી છે. એ સાંભળતાં જ કુંવરના હૃદયમાં ઘણો ક્ષોભ થયો; અને માતા-પિતાને પૂછયા વિના જ, મિત્રને સાથે લઇને મહેન્દ્રનગર ચાલ્યો; તેનું ચિત્ત ઉદાસ થઈ ગયું.
મહેન્દ્ર રાજાના નગરની સમીપ આવતાં તેના મનમાં એમ થયું કે આજે પ્રિયાનો મિલાપ થશે, તેથી પ્રસન્ન થઇને મિત્રને કહ્યું: હે મિત્ર! દેખો, અહીં અંજની સુંદરી બિરાજે છે તેથી આ નગર કેવું મનોહર દીસે છે! જેવા કૈલાસ પર્વતના જિનમંદિરોના શિખર શોભાયમાન છે તેવા આ મહેલનાં શિખર શોભી રહ્યાં છે. એમ વાત કરતાં કરતાં નગરની સમીપે આવી પહોંચ્યા.
પવનકુમાર આવે છે” એવા સમાચાર મળતાં જ મહેન્દ્ર રાજા નગરી શણગારીને ઘણા આદરપૂર્વક તેને નગરમાં લઈ આવ્યા. રાજમહેલમાં આવીને કુમાર બેઘડી મહેન્દ્ર રાજા પાસે બેઠો ને પછી સાસુનો મુજરો કરીને, જેને પોતાની પ્રિયા અંજનીને દેખવાની ઘણી અભિલાષા છે એવો તે કુમાર અંજનીના મહેલે આવ્યો. પરંતુ ત્યાં પણ અંજનીને ન દેખતાં અત્યંત વિરહાતુર થઇને કોઇને પૂછયું: હું બાલિકા! અમારી પ્રિયા અંજના ક્યાં છે? ત્યારે તે બાળિકા બોલી- “હે દેવ! અહીં તમારી પ્રિયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com