________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[33]
સખીના વચન સાંભળીને, મહા વનના ભયને લીધે અંજની ચાલવા માટે મહા કષ્ટપૂર્વક ઊભી થઈ...સખી તેને હાથનો સહારો આપીને ગૂફાના દ્વાર સુધી લઇ ગઈ.
વગર વિચાર્યે ગૂફામાં પ્રવેશતાં ભય થાય, તેથી તે બંને સખીઓ થાકીને ત્યાં જ બેસી ગઈ; અને નજર માંડીને ગૂફામાં જોયું...ગૂફાનું દૃશ્ય જોતાંવેંત જ બન્ને સખીઓ આશ્ચર્યથી થંભી ગઈ! ...શું જોયું ? અહો ! તેમણે જોયું કે ગૂફામાં એક મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. એ ચારણઋદ્ધિના ધારક છે. એમનું શરીર નિશ્ચલ થંભી ગયું છે, તેમની મુદ્રા પ૨મ
NI
શાંત, અને સમુદ્ર જેવી ગંભીર છે, આંખો ઢળી ગયેલી છે, આત્માનું જેવું યથાર્થ સ્વરૂપ જિનશાસનમાં કહ્યું છે તેવું જ ધ્યાનમાં ધ્યાવી રહ્યા છે...પર્વત જેવા અડોલ છે, આકાશ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com