________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
| [ મોક્ષશાસ્ત્ર નામ-(૧) પ્રશમ (૨) સંવેગ (૩) અનુકંપા અને (૪) આસ્તિય.
પ્રશમ = ક્રોધ-માન-માયા-લોભસંબંધી રાગ-દ્વેષાદિકનું મંદપણું, સંવેગ = સંસાર એટલે કે વિકારી ભાવનો ભય. અનુકંપા = પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ. આસ્તિકય = જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ
વડે માનવું તે આસ્તિકય. સરાગ સમ્યગ્દષ્ટિને આ ચાર પ્રકારના રાગમાં જોડાણ હોય છે, તેથી એ ચાર ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનનાં લક્ષણ કહેવામાં આવે છે. જીવને સમ્યગ્દર્શન ન હોય તો તે શુભભાવો પ્રશમાભાસ, સંવેગાભાસ, અનુકંપાભાસ અને આસ્તિયાભાસ છે એમ સમજવું. પ્રશમાદિ સમ્યગ્દર્શનનાં ખરાં ( નિશ્ચય) લક્ષણ નથી, તેનું ખરું લક્ષણ પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ છે.
(૧૩) સમ્યગ્દર્શનનો વિષય-લક્ષ પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ પોતાના આત્માને કેવો માને છે?
ઉત્તર- સમ્યગ્દષ્ટિ પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ ચૈતન્યસ્વરૂપ માને છે.
પ્રશ્ન:- તે વખતે જીવની વિકારી અવસ્થા તો હોય છે તેનું શું?
ઉત્તર:- વિકારી અવસ્થા સમ્યજ્ઞાનનો વિષય છે તેથી તેને સમ્યગ્દષ્ટિ જાણે છે ખરા પણ સમ્યગ્દષ્ટિનું લક્ષ અવસ્થા (પર્યાય, ભેદ) ઉપર હોતું નથી; કારણ કે અવસ્થાના લક્ષે જીવને રાગ થાય છે અને ધ્રુવસ્વરૂપના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટે છે.
(૧૪) બીજા સૂત્રનો સિદ્ધાંત
સંસાર-સમુદ્રથી રત્નત્રયરૂપી (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી) જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટિયો (નાવિક) છે. જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે; જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ તે અનંત દુ:ખ ભોગવે છે; માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને સમ્યગ્દર્શન થાય નહિ; જે જીવો તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ-એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે. તે રા/
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com