________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩૪ ]
[ મોક્ષશાસ્ત્ર અર્થાત્ રત્નત્રયથી જીવ અભિન્ન છે અથવા ભિન્ન છે એમ જાણવું તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે; પરંતુ રત્નત્રયમાં ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારમોક્ષમાર્ગ છે અને અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. તેથી ઉપરના શ્લોકોનું તાત્પર્ય એ છે કે
આત્માને પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય દ્વારા જાણીને પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી પોતાનો ત્રિકાળી સામાન્ય ચૈતન્યસ્વભાવ-જે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. તે તરફ વળતાં શુદ્ધતા અને નિશ્ચયરત્નત્રય પ્રગટે છે.
તત્વાર્થસાર ગ્રંથનું પ્રયોજન
(વસંતતિલકા). तत्त्वार्थसारमिति यः समिधिर्विदित्वा , निर्वाणमार्गमधितिष्ठति निष्प्रकम्पः। संसारबन्धमवधूय स धूतमोह
श्चेतन्यरुपमचलं शिवतत्त्वमेति।। २२।। અર્થ - બુદ્ધિમાન અને સંસારથી ઉપેક્ષિત થયેલ જે જીવ આ ગ્રંથને અથવા તત્ત્વાર્થના સારને આ ઉપર કહેલા પ્રકારે સમજીને નિશ્ચલતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થશે તે જીવ મોહનો નાશ કરી સંસારબંધને દૂર કરી, નિશ્ચલ ચૈતન્યસ્વરૂપી મોક્ષતત્ત્વને (શીવતત્ત્વને) પ્રાપ્ત કરી શકે છે.
આ ગ્રંથના કર્તા પુગલો છે, આચાર્ય નથી वर्णाः पदानां कर्तारो वाक्यानां तु पदावलिः।
वाक्यानि चास्य शास्त्रस्य कर्तृणि न पुनर्वयम्।। २३ ।। અર્થ:- વર્ણો (અર્થાત અનાદિસિદ્ધ અક્ષરોનો સમૂહ) આ પદોના કર્તા છે, પદાવલિ વાક્યોના કર્તા છે અને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું છે. આ શાસ્ત્ર મેં (આચાર્ય) બનાવ્યું છે-એમ કોઈ એ ન સમજવું.
(જુઓ, તત્ત્વાર્થસાર પા. ૪૨૧ થી ૪૨૮). નોંધ:- (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા થઈ શક્યું નથી–એ સિદ્ધાંત પ્રતિપાદન કરીને અહીં આચાર્યભગવાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીવ જડશાસ્ત્રને બનાવી શકે નહીં.
(૨) શ્રી સમયસારની ટીકા, શ્રી પ્રવચનસારની ટીકા, શ્રી પંચાસ્તિકાયની ટીકા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com