________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૬૧ર ]
[ મોક્ષશાસ્ત્ર औपशमिकादि भव्यत्वानां च।।३।। અર્થ- [ a] વળી [સૌપમાઃિ ભવ્યત્વનાં] ઔપશમિકાદિ ભાવોનો તથા પારિણામિક ભાવોમાંથી ભવ્યત્વભાવનો મુક્ત જીવને અભાવ થાય છે.
ટીકા “ઔપથમિકદિ' કહેતાં ઔપશમિક, ઔદયિક અને ક્ષાયોપથમિક એ ત્રણ ભાવો સમજવા, ક્ષાયિકભાવ તેમાં ગણવો નહિ.
જે જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્યજીવ કહેવાય છે. જ્યારે જીવને સમ્યગ્દર્શનાદિ ગુણો પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે ત્યારે તે આત્મામાં ભવ્યત્વ” નો વ્યવહાર મટી જાય છે. આ સંબંધમાં વિશેષ એ લક્ષ માં રાખવા યોગ્ય છે કે “ભવ્યત્વ' જો કે પારિણામિકભાવ છે તોપણ, જેમ પર્યાયાર્થિકનયે જીવન સમ્યગ્દર્શનાદિ ગુણોને નિમિત્તપણે ઘાતક દેશઘાતિ તથા સર્વથાતિ નામના મોહાદિક કર્મસામાન્ય છે તેમ, જીવના ભવ્યત્વગુણને પણ કર્મસામાન્ય નિમિત્તપણે પ્રચ્છાદક કહી શકાય છે. (ાઓ, હિંદી સમયસાર, શ્રી જયસેનાચાર્યની સંસ્કૃત ટીકા પા.-૪૨૩) સિદ્ધપણું પ્રગટ થતાં ભવ્યત્વગુણની વિકારી પર્યાયનો નાશ થાય છે એ અપેક્ષા લક્ષમાં રાખીને ભવ્યત્વ ભાવનો નાશ થાય છે-એમ અહીં કહ્યું છે. અધ્યાય ૨, સૂત્ર-૭, પાનું-૨૨૪ માં ભવ્યત્વભાવની પર્યાયની અશુદ્ધતાનો નાશ થાય છે એમ કહ્યું છે માટે તે ટીકા પણ અહીં વાંચવી. | ૩ાા
अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः।।४।। અર્થ- [ વોવનંખ્યત્વે જ્ઞાન ન ] કેવળસમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને [ સિદ્ધત્વેચ્ચ: અન્યત્ર] સિદ્ધત્વ એ ભાવો સિવાયના બીજા ભાવોના અભાવથી મોક્ષ થાય છે.
ટીકા મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનાદિ ગુણો સાથે જે ગુણોનો સહભાવસંબંધ છે એવાં અનંત વીર્ય, અનંત સુખ, અનંત દાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ વગેરે ગુણો પણ હોય છે. | જા
મુક્ત જીવોનું સ્થાન तदनंतरमूर्ध्व गच्छत्यालोकांतात।।५।। અર્થ- [તનંતરમ્] તુરત જ [ર્ધ્વ ઋતિ નાનો સંતા] ઊર્ધ્વગમન કરીને આ લોકના છેડા સુધી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com