________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯. સૂત્ર ૪૪ ]
[ ૫૯૧ છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે તેમાં અનિત્યતા વગેરેનું ચિંતવન કરવાથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન કરી શકાય છે અને તેને વધારી શકાય છે. ધ્યાનનું ફળ એ છે કે તેમાં ચિત્તને અનેક વિષયોથી હટાવીને એક વિષયમાં સ્થિર કરી શકાય છે. આ કારણે અનુપ્રેક્ષા પછી ધ્યાનનું સ્વરૂપ, લક્ષણ તથા ભેદ વર્ણવીને તે બન્નેને જુદા લખવામાં આવ્યા છે. (તત્ત્વાર્થસાર અધ્યાય ૭. ગાથા ૪૩. ટીકા )
આ નવમા અધ્યાયના પહેલા અઢાર સૂત્રોમાં સંવ૨ અને તેના કારણોનું વર્ણન કર્યું. ત્યા૨૫છી નિર્જરા અને તેના કારણોનું વર્ણન શરૂ કર્યું. નિર્જરા તપથી થાય છે (તપસા નિર્બરા શ્વ-સૂત્ર ૩), તેથી સૂ. ૧૯-૨૦ માં તપના બાર પ્રકાર વર્ણવ્યા, ત્યારપછી છ પ્રકારના અંતરંગતપના ભેદોનું વર્ણન અહીં સુધી કર્યું.
વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા; પરિષહજય, બાર પ્રકારના તપ વગેરે સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક સ્પષ્ટીકરણ
૧. કેટલાક જીવો કેવળ વ્યવહારનયનું જ અવલંબન કરે છે, તેમને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધનસાધ્યભાવની દૃષ્ટિ છે, તેથી તેઓ વ્યવહારમાં જ ખેદખિન્ન રહે છે. તેઓ નીચે પ્રમાણે વર્તે છે
શ્રદ્ધા સંબંધમાં- ધર્મદ્રવ્યાદિ ૫દ્રવ્યોની શ્રદ્ધા કરે છે.
જ્ઞાન સંબંધમાં-દ્રવ્યશ્રુતના પઠન પાઠનાદિ સંસ્કારોથી અનેક પ્રકારના વિકલ્પ જાળથી કલંકિત ચૈતન્યવૃત્તિને ધારણ કરે છે.
ચારિત્ર સંબંધમાં-યતિના સમસ્ત વ્રતસમુદાયરૂપ તપ (સાધુ) -પ્રવૃત્તિરૂપ કર્મકાંડોને અચલિતપણે આચરે છે, તેમાં કોઈ વેળા પુણ્યની રુચિ કરે છે, કદાચિત્ દયાવંત થાય છે.
દર્શનાચા૨ સંબંધમાં-કોઈ વાર પ્રશમતા, કોઈ વાર વૈરાગ્ય, કોઈવાર અનુકંપા અને કોઈવાર આસ્તિતક્યમાં વર્તે છે; તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિ આદિ ભાવો ઉત્પન્ન ન થાય તેવી શુભોપયોગરૂપ સાવધાની રાખે છે; કેવળ વ્યવહારનયરૂપ ઉપબૃહણ, સ્થિતિકરણ, વાત્સલય, પ્રભાવના એ અંગોની ભાવના ચિંતવે છે અને તે બાબતનો ઉત્સાહ વારંવાર વધારે છે.
જ્ઞાનાચાર સંબંધમાં- સ્વાધ્યાયનો કાળ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે દુર્ધર ઉપધાન કરે છે- આરંભ કરે છે, શાસ્ત્રનું રૂડા પ્રકારે બહુમાન કરે છે, ગુરુ વગેરેમાં ઉપકારપ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ, વ્યંજન અને તે બન્નેની શુદ્ધતામાં સાવધાન રહે છે.
Please inform us of any errors on
[email protected]