________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯. સૂત્ર ૨૪-૨૫ ]
[ ૫૭૭
નિશ્ચયવિનયનું સ્વરૂપ
,
શુદ્ધભાવ તે નિશ્ચયવિનય છે. પોતાના અકષાયભાવમાં અભેદપરિણમન સહિત શુદ્ધતારૂપે ટકવું તે નિશ્ચયવિનય છે; તેથી જ કહેવાય છે કે ‘વિનયવંત ભગવાન કહાવૈ, નહિ કિસીકો શિષ નમાવે ’ ( આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૩), અર્થાત્ ભગવાન વિનયવંત કહેવાય છે પણ કોઈને શિષ નમાવતા નથી. ।। ૨૩।। સમ્યક્ વૈયાવૃત્યતપના દસ ભેદ
आचार्योपाध्ययतपस्विशैक्ष्यग्लानगणकुलसंघसाधुमनोज्ञानाम् ।। २४ ।।
અર્થ:- [આવાર્ય ૩પાધ્યાય તપસ્વિ] આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, [ શૈક્ષ્ય જ્ઞાન રાળ ઊત] શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કુળ, [ સંઘ સાધુ મનોજ્ઞાનાભ્] સંઘ, સાધુ અને મનોજ્ઞ-એ દસ પ્રકારનાં મુનિઓની સેવા કરવી તે દસ પ્રકાર વૈયાવૃત્યતપના છે. ટીકા
૧. સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ
(૧) આચાર્ય- જે મુનિ પોતે પાંચ આચારને આચરે અને બીજાને આચરણ કરાવે તે.
(૨) ઉપાધ્યાય-જેની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે તે.
(૩) તપસ્વી- મહાન ઉપવાસ કરનાર સાધુ.
(૪) શૈક્ષ્ય- શાસ્ત્રના અધ્યયનમાં તત્પર મુનિ.
(૫) ગ્લાન- રોગથી પીડિત મુનિ.
(૬) ગણ- વૃદ્ધ મુનિઓ અનુસાર ચાલનારા મુનિઓનો સમુદાય. (૭) કુળ- દીક્ષા દેનાર આચાર્યના શિષ્યો.
(૮) સંઘ- ઋષિ, યતિ, મુનિ અને અણગાર એ ચાર પ્રકારના મુનિઓનો સમૂહ. (સંઘના બીજા પ્રકારે ચાર ભેદો આ પ્રમાણે છે–સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા.)
(૯) સાધુ- જેણે ઘણા કાળથી દીક્ષા લીઘી હોય તે, અથવા રત્નત્રયભાવનાથી પોતાના આત્માને સાધે તે.
(૧૦) મનોજ્ઞ- લોકમાં જેની ઘણી પ્રશંસા થઈ રહી હોય એવા મુનિ.
૨. આ દરેકની સેવા કરવી તે વૈયાવૃત્ય છે. આ વૈયાવૃત્ય શુભભાવરૂપ છે,
તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com