________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૧]
[પર૯ સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે; તથા જેટલે અંશે સમ્યક્રચારિત્ર છે તેટલે અંશે સંવર છે અને બંધ નથી, પણ જેટલે અંશે રાગ છે તેટલે અંશે બંધ છે- (જાઓ, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ૨૧ર થી ૨૧૪).
૬. પ્રશ્ન- સમ્યગ્દર્શન તે સંવર છે અને બંધનું કારણ નથી તો પછી અ. ૬. સૂ. ૨૧ માં સમ્યકત્વને પણ દેવાયુકર્મના આસ્રવનું કારણ કેમ કહ્યું? તેમજ અ. ૬. સૂ. ૨૪ માં દર્શનવિશુદ્ધથી તીર્થકર નામકર્મનો આસ્રવ થાય છે એમ કેમ હ્યું?
ઉત્તર- તીર્થકર નામકર્મનો બંધ ચોથા ગુણસ્થાનથી આઠમાં ગુણસ્થાનના છઠ્ઠી ભાગ સુધી થાય છે; અને ત્રણ પ્રકારના સમ્યકત્વની ભૂમિકામાં તે બંધ થાય છે. ખરેખર (ભૂતાર્થનથી) સમ્યગ્દર્શન પોતે કદી પણ બંધનું કારણ નથી, પણ તે ભૂમિકામાં રહેલા રાગથી જ બંધ થાય છે. તીર્થંકરનામકર્મના બંધનું કારણ પણ સમ્યગ્દર્શન પોતે નથી, પરંતુ સમ્યગ્દર્શનની ભૂમિકામાં રહેલો રાગ તે બંધનું કારણ છે. જ્યાં સમ્યગ્દર્શનને આસ્રવ કે બંધનું કારણ કહ્યું હોય ત્યાં માત્ર ઉપચારથી વ્યવહારથી કથન છે એમ સમજવું; તેને અભૂતાર્થનયનું કથન પણ કહેવાય છે. સમ્યજ્ઞાન વડે નય વિભાગના સ્વરૂપને યથાર્થ જાણનારા જ આ કથનના આશયને અવિરુદ્ધપણે સમજે છે.
પ્રશ્નમાં જે સૂત્રનો આધાર આપવામાં આવ્યો છે તે સૂત્રોની ટીકામાં પણ ખુલાસો કર્યો છે કે સમ્યગ્દર્શન પોતે બંધનું કારણ નથી.
૭. સમ્યગ્દષ્ટિ જીવો બે પ્રકારના છે-સરાગી અને વીતરાગી. તેમાંથી સરાગસમ્યગ્દષ્ટિ જીવો રાગ સહિત હોવાથી રાગના કારણે તેમને કર્મપ્રકૃતિઓનો આસ્રવ થાય છે; તે જીવોને સરોગસમ્યકત્વ છે એમ પણ કહેવાય છે; પરંતુ ત્યાં એમ સમજવું કે જે રાગ છે તે સમ્યકત્વનો દોષ નથી પણ ચારિત્રનો દોષ છે. જે સમ્યગ્દષ્ટિ જીવોને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યકત્વ કહેવાય છે. ખરેખર એ બે જીવોના સમ્યગ્દર્શનમાં ભેદ નથી પણ ચારિત્રના ભેદની અપેક્ષાએ એ બે ભેદ છે. જે સમ્યગ્દષ્ટિ જીવ ચારિત્રના દોષરહિત છે તેમને સરોગસમ્યકત્વ છે એમ કહેવાય છે અને જે જીવને નિર્દોષ ચારિત્ર છે તેમને વીતરાગસમ્યકત્વ છે એમ કહેવાય છે; એ રીતે ચારિત્રની સદોષતા કે નિર્દોષતાની અપેક્ષાએ તે ભેદ છે. સમ્યગ્દર્શન પોતે સંવર છે અને તે તો શુદ્ધભાવ જ છે તેથી તે આસ્રવ કે બંધનું કારણ નથી.
(જુઓ, પા.) || ૧ાા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com