________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨ ].
[ મોક્ષશાસ્ત્ર (૪) વળી તે જીવ, કોઈ બીજાની જ વાત કરતો હોય તેમ આત્માનું કથન કરે છે, પરંતુ “એ આત્મા હું જ છું' એવો ભાવ તેને ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિકથી ભિન્ન છું' એવો ભાવ તેને ભાસતો નથી; તેથી તેને જીવ-અજીવની યથાર્થ શ્રદ્ધા નથી.
(૫) પર્યાયમાં (–વર્તમાન દશામાં) જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયા થાય છે; તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી બનેલી માને છે, પણ “આ જીવની ક્રિયા છે અને આ પુદ્ગલની ક્રિયા છે” એમ ભિન્ન ભિન્ન ભાવ તેને ભાસતો નથી. આવો ભિન્ન ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ, કારણ કે જીવ-અજીવને જાણવાનું પ્રયોજન તો એ જ હતું; તે આને થયું નહી.
(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. રર૯) (૬) જ્યાં સુધી આવી યથાર્થ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી જીવ સમ્યગ્દષ્ટિ થતો નથી-એમ પહેલા અધ્યાયના બત્રીસમાં સૂત્રમાં* કહ્યું છે. તેમાં “સ” શબ્દથી જીવ પોતે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શું છે તે સમજવા કહ્યું છે અને “અસ” શબ્દથી એ બતાવ્યું છે કે-જીવમાં થતો વિકાર જીવમાંથી ટાળી શકાય છે માટે તે પર છે. પરવસ્તુઓ અને આત્મા ભિન્ન હોવાથી કોઈ પરનું કાંઈ કરી શકે નહિ; આત્માની અપેક્ષાએ પરવસ્તુઓ અસત્ છે-નાસ્તિપણે છે આમ યથાર્થ સમજે ત્યારે જ સત્અસના વિશેષનું યથાર્થ જ્ઞાન જીવને થાય છે. જ્યાં સુધી એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને આસ્રવ ટળે નહિ; જ્યાં સુધી જીવ પોતાનો અને આસ્રવનો ભેદ જાણે નહિ ત્યાં સુધી તેને વિકાર ટળે નહિ. તેથી એ ભેદ સમજાવવા આસવનું સ્વરૂપ છઠ્ઠી અને સાતમા અધ્યાયોમાં કહ્યું છે. આ આસવ-અધિકાર છે; તેમાં પ્રથમ યોગના ભેદ અને તેનું
સ્વરૂપ કહે છે
कायवाङ्मनःकर्म योगः।।१।। અર્થ:- [ વાયવીમ:*] કાય, વચન અને મનના અવલંબને (-નિમિત્તે) આત્માના પ્રદેશોનું સકંપ થવું તે [યો : ] યોગ છે.
* सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत्।। ३२ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com