________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨ ઉપસંહાર ]
[ ૩૮૩ [ નં. ૧ ધ્રુવ ઉપાદાન દ્રવ્યાર્થિકનયથી છે. નં. ૨-૩ ક્ષણિક ઉપાદાન પર્યાયાર્થિક નયથી છે. ] ૧૩૧ યોગ્યતા કોને કહે છે? ૧૩૧ “યોગ્યતૈવ વિષયપ્રતિનિયમવારણ મિતિ” ( ન્યાય દિ. પૃ. ૨૭) યોગ્યતા જ
વિષયનું પ્રતિનિયામક કારણ છે. [ આ કથન જ્ઞાનની યોગ્યતા (-સામર્થ્ય) ને માટે છે. પરંતુ યોગ્યતાનું કારણ પણે સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય,
શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. * ૧૩ર નિમિત્ત કારણ કોને કહે છે? ૧૩ર જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો
જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્તે સાચું કારણ નથી- ૪ અહેસુવત
(અકારણવ ) છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે.) ૧૩૩ ઉપાદાન કારણ અને નિમિત્તની ઉપસ્થિતિનો શું નિયમ છે?
(બનારસી વિલાસમાં કથિત દોહા) પ્રશ્ન:- (૧) ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન;
જ્યાં નર દૂજે, પાંવ બિન, ચલકો આધીન. ૧ પ્રશ્ન:- (૨) હોં જાને થી એક હી, ઉપાદાન સોં કાજ;
થક સહાઈ પોન બિન, પાની માંહી જહાજ. ૨ પ્રથમ પ્રશ્નનો ઉત્તરઃ
જ્ઞાન નૈન કિરિયા ચરન, દો શિવમગ ધાર;
ઉપાદાન નિશ્ચય જહાં, તë નિમિત્ત વ્યૌહાર. ૩ અર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત લીનતારૂપ ક્રિયા બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચય કારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે.
* “યોગ્યતા’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ. * પંચાધ્યાયી ભાગ. ૨ ગા. ૩૫૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com