________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ સૂત્ર ૩૫-૩૬ ]
[ ૨૫૫ મનુષ્ય ક્ષેત્ર प्राङ्मानुषोत्तरान्मनुष्याः।। ३५।। અર્થ:- માનુષોત્તર પર્વત સુધી એટલે કે અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે – માનુષોત્તર પર્વતથી આગળ ઋદ્ધિધારી મુનીશ્વર કે વિધાધરો પણ જઈ શકતા નથી.
ટીકા
(૧) જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ અને પુષ્કરાદ્ધ – એ ક્ષેત્ર અઢી દ્વીપ છે, તેનો વિસ્તાર ૪૫ લાખ યોજન છે.
(૨) કેવળ સમુદ્યાત અને મારણાંતિક સમુદ્યાતના પ્રસંગ સિવાય મનુષ્યના આત્મપ્રદેશો અઢી દ્વીપ બહાર જઈ શકે નહિ.
(૩) આગળ ચાલતાં આઠમો નંદીશ્વરદ્વીપ છે, તેમાં ચાર દિશામાં ચાર અંજનગિરિ પર્વત, સોળ દધિમુખ પર્વત અને બત્રીસ રતિકર પર્વત છે. તે ઉપર મધ્યભાગમાં જિનમંદિરો છે. નંદીશ્વરદ્વીપમાં એવાં બાવન જિનમંદિરો છે. બારમો કુંડલવરદ્વીપ છે. તેમાં ચાર દિશાના મળીને ચાર જિનમંદિરો છે. તેરમો ચકવર નામનો દ્વીપ છે. તેની વચમાં ચક નામનો પર્વત છે, તે પર્વત ઉપર ચારે દિશામાં થઈને ચાર જિનમંદિરો છે; ત્યાં દેવો જિનપૂજન માટે જાય છે; એ પર્વત ઉપર અનેક કૂટ છે. તેમાં અનેક દેવીના નિવાસ છે; તે દેવીઓ તીર્થંકરપ્રભુના ગર્ભ અને જન્મકલ્યાણકમાં પ્રભુના માતાની અનેક પ્રકારની સેવા કરે છે. || ૩પ 1
મનુષ્યોના ભેદ
માર્યા મનેચ્છા ના રૂદ્દી અર્થ:- આર્ય અને મલેચ્છ એવા ભેદથી મનુષ્યો બે પ્રકારના છે.
ટીકા (૧) આર્યના બે પ્રકાર છે-ઋદ્ધિપ્રાઆર્ય અને અદ્ધિપ્રાઆર્ય. ઋદ્ધિપ્રાય આર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તે. અમૃદ્ધિપ્રાસ આર્ય = જે આર્યજીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત ન હોય તે.
ઋદ્ધિપ્રાય આર્ય (૨) ઋદ્ધિપ્રાય આર્યના આઠ પ્રકાર છે ૧ - બુદ્ધિ, ૨-ક્રિયા, ૩-વિક્રિયા, ૪-તપ, પ-બળ, ૬-ઔષધ, ૭-રસ, અને ૮-ક્ષેત્ર. આ આઠ ઋદ્ધિઓનું સ્વરૂપ કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com