SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates [ ૨૯ ] સર્વ સમ્યગ્દષ્ટિઓને એવું જ શ્રદ્ધાન હોય છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે તેઓ વ્યવહાર ધર્મને મિથ્યાત્વ સમજે છે; અને એમ પણ નથી કે તેઓ તેને સાચો મોક્ષમાર્ગ સમજતા હશે. (૧૬) પ્રશ્ન:- શાસ્ત્રમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનોમાં અશુભોપયોગ અને ૪૫-૬ ગુણસ્થાનોમાં એકલો શુભોપયોગ કહ્યો છે તે તારતમ્યતાની અપેક્ષાથી છે કે મુખ્યતાની અપેક્ષાથી છે? ઉત્ત૨:- તે ક્થન તારતમ્યતાની અપેક્ષાએ નથી પરંતુ મુખ્યતાની અપેક્ષાથી કહ્યું છે (મોક્ષમાર્ગ પ્ર. પાનું ૨૯) આ સંબંધમાં વિસ્તારથી જાણવું હોય તો જુઓ પ્રવચનસાર ( રાયચંદ્ર ગ્રંથમાલા ) અ. ૩ ગા. ૪૮ શ્રી જયસેનાચાર્યની ટીકા પાનું ૩૪૨. (૧૭) પ્રશ્ન:- શાસ્ત્રમાં કોઈ જગ્યાએ “શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય થાય છે” એવું કથન છે, હવે શુભભાવ તો ઔદિયકભાવ છે, બંધનું કારણ છે એમ હોવા છતાં શુભભાવથી કર્મોનો ક્ષય બતાવવાનું શું પ્રયોજન છે? ઉત્ત૨:- ૧-શુભ પરિણામ-રાગભાવ-(મલિન ભાવ ) હોવાથી તે ગમે તે જીવના હો–સમ્યગ્દષ્ટિના હો કે મિથ્યાદષ્ટિના હો-તે મોયુક્ત ઉદયભાવ હોવાથી બંધનું જ કારણ છે, સંવ૨-નિર્જરાનું કારણ નથી અને એ વાત સત્ય જ છે. આ વાતને આ જ શાસ્ત્રમાં પૃ. ૪૪૧ થી ૪૪૭ માં અનેક શાસ્ત્રોના પ્રમાણ વડે સિદ્ધ કરી બતાવી છે. ૨. શાસ્ત્રના કોઈ પણ કથનનો અર્થ યથાર્થ સમજવો હોય તો સર્વ પ્રથમ એ નિર્ણય કરવો જોઈએ કે તે કયા નયનું કથન છે? આમ વિચાર કરતાં-સમ્યગ્દષ્ટિના શુભભાવથી કર્મોનો ક્ષય થાય છે– એ કથન વ્યવહારનયનું છે, તેથી આનો અર્થ એમ થાય છે કે- એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે. એટલે ખરેખર તો શુભભાવ કર્મબંધનનું જ કારણ છે પરંતુ સમ્યગ્દષ્ટિને નીચલી ભૂમિકામાં -૪ થી ૧૦ ગુણસ્થાન સુધી શુદ્ધ પરિણામની સાથે તે તે ભૂમિકાને યોગ્ય –શુભભાવ નિમિત્તરૂપ હોય છે, તેનું જ્ઞાન કરાવવું તે આ કથનનું પ્રયોજન છે એમ સમજવું. ૩. એકીસાથે શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય જ્યાં કહ્યો હોય ત્યાં ઉપાદાન અને નિમિત્ત બન્ને તે તે ગુણસ્થાનના સમયમાં હોય છે અને આ પ્રકા૨ના જ હોય છે- વિરુદ્ધ નહીં એમ બતાવીને તેમાં જીવના શુદ્ધ ભાવ તો ઉપાદાન કા૨ણ છે અને શુભભાવ નિમિત્તકા૨ણ છે એમ આ બન્ને કા૨ણોનું જ્ઞાન કરાવ્યું છે, તેમાં નિમિત્તકા૨ણ અભૂતાર્થ કા૨ણ છે- સાચું કારણ નથી માટે શુભ પરિણામથી કર્મોનો ક્ષય કહેવો તે ઉપચારકથન છે એમ સમજવું. Please inform us of any errors on [email protected]
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy