________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ ]
[ મોક્ષશાસ્ત્ર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારે ગતિ સદાય છે; તે કલ્પિત નથી પણ જીવોના પરિણામનું ફળ છે. જેણે બીજાને મારી નાખવાના કૂર ભાવ કર્યા તેના ભાવમાં, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનાર કેટલા જીવો મારી નાખવા તે સંખ્યાની હુદ નથી, તથા કેટલો કાળ મારવા તે કાળની હદ નથી, તેથી તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું જ હોય, એવું સ્થાન તે નરક છે; મનુષ્યલોકમાં એવું કોઈ સ્થાન નથી.
જે કોઈ બીજાને મારીને અગવડતા ટાળવા માગે છે તે જેટલા વિરોધી જણાય તે બધાને મારવા ઈચ્છે છે, પછી અગવડતા કરનારા બે-પાંચ હોય કે ઘણા હોય તે બધાયનો નાશ કરવાની ભાવના સેવે છે; તેના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભવ કરવાના ભાવ પડ્યા છે; તે ભવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો સંહાર કરવાનો ભાવ છે. જે જીવે કારણમાં અનંતકાળ સુધી અનંત જીવને મારવાના, અગવડતા દેવાના ભાવ સેવ્યા છે તેના ફળમાં તે જીવને તીવ્ર દુઃખના સંયોગમાં જવું પડે છે અને તે નરકગતિ છે. લાખો ખૂન કરનારને લાખવાર ફાંસી મળે તેવું આ લોકમાં બનતું નથી તેથી તેને દૂર ભાવ પ્રમાણે પૂરું ફળ મળતું નથી, તેને તેના ભાવનું પૂરું ફળ મળવાનું સ્થાન-ઘણો કાળ અનંત દુઃખ ભોગવવાનું ક્ષેત્ર-નરક છે; તે નીચે શાશ્વત છે. || ૨IT
નારકીઓનાં દુઃખનું વર્ણન नारका नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः।।३।।
અર્થ- નારકી જીવો હંમેશા જ અત્યંત અશુભ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાને ધારણ કરે છે.
ટીકા
(૧) લેશ્યા-આ દ્રવ્યલેશ્યાનું સ્વરૂપ છે કે જે આયુ સુધી રહે છે. શરીરના રંગને અહીં દ્રવ્યલેશ્યા કહી છે. ભાવલેશ્યા અંતર્મુહૂર્તમાં બદલાય છે તેનું વર્ણન અહીં નથી. અશુભલેશ્યાના ત્રણ પ્રકાર છે. -કાપો, નીલ અને કૃષ્ણ. પહેલી તથા બીજી પૃથ્વીમાં કોપાત લેશ્યા, ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં કાપોત અને નીચેના ભાગમાં નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં ઉપરના ભાગમાં નીલ અને નીચેના ભાગમાં કૃષ્ણ અને છઠ્ઠી તથા સાતમી પૃથ્વીમાં કૃષ્ણલેશ્યા હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com