________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર
જન્મના ભેદ
सम्मूर्च्छनगर्भोपपादाः जन्म ।। ३१ ।।
અર્થ:- [સમૂર્ચ્છનાર્મહપવાવા:] સમૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાદ એવા ત્રણ પ્રકારના [નન્મ ] જન્મ હોય છે.
ટીકા
(૧) જન્મઃ- નવીન શરીર ધારણ કરવું તે જન્મ છે.
સમ્પૂર્ચ્છન જન્મઃ- પોતાના શરીરને યોગ્ય પુદ્દગલો દ્વારા, માતા-પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમ્પૂર્ઝન જન્મ કહે છે.
ગર્ભ જન્મ:- સ્ત્રીના ઉદરમાં ૨૪ અને વીર્યના મળવાથી જન્મ(conception) થાય તેને ગર્ભજન્મ કહે છે.
ઉપપાદ જન્મ:- માતા-પિતાના ૨જ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિંતસ્થાનવિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. આ ઉપપાદ જન્મવાળું શરી૨ વૈયિક રજકણોનું બને છે.
(૨) સમન્તત:+મૂર્ચ્છનું- એ વડે સમૂર્ચ્છન શબ્દ બન્યો છે; તેમાં સમન્તત: નો અર્થ ‘ચારે બાજુ ’–અથવા‘ જ્યાં-ત્યાં ’ થાય છે અને મૂર્ચ્છનું નો અર્થ ‘શરીરનું બની જવું' એવો થાય છે.
(૩) જીવ અનાદિ-અનંત છે એટલે તેને જન્મ-મરણ હોતાં નથી, પણ અનાદિથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા (મિથ્યાદર્શન ) હોવાથી તેને શરીર સાથે એક ક્ષેત્રાવગાહસંબંધ થાય છે અને અજ્ઞાનથી શરીરને પોતાનું માને છે. વળી શરીરને હું હલાવી-ચલાવી શકું, શરીરની ક્રિયા હું કરી શકું એ વગેરેથી ઊંધી માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે; તે વિકારભાવ હોય ત્યાં સુધી જીવને નવાં નવાં શરીરો સાથે સંબંધ થાય છે. તે નવા શરીરના સંબંધને (સંયોગને) જન્મ કહે છે અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે તેમાં જીવનો કષાયભાવ નિમિત્ત છે. ।। ૩૧ ।।
યોનિઓના ભેદ
सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः ।। ३२ ।।
અર્થ:- [સવિત શીત સંવૃત્તા: ] ચિત્ત, શીત, સંવૃત્ત [ સેતર ] તેનાથી ઊલટી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com