________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ ]
[ મોક્ષશાસ્ત્ર સંશી કોને કહે છે?
સંજ્ઞિન: સમનn: તા ૨૪ ના અર્થ- [ સમનn: ] મનસહિત જીવોને [સંજ્ઞિન:] સંજ્ઞી કહેવાય છે.
ટીકા
સંગી જીવો પંચેન્દ્રિય જ હોય છે. (જુઓ, અધ્યાય-૨, સૂત્ર ૧૧ તથા ૨૧ ની ટીકા). જીવના હિતાહિતની પ્રવૃત્તિ મન દ્વારા થાય છે. પંચેન્દ્રિય જીવમાં સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકાર છે. સંજ્ઞી એટલે સંજ્ઞાવાળા પ્રાણી સમજવા. “સંજ્ઞા”ના ઘણા અર્થો થાય છે તેમાંથી અહીં “મન” એવો અર્થ લેવો. | ૨૪||
મન દ્વારા હિતાહિતની પ્રવૃત્તિ થાય છે પણ શરીર છૂટતાં વિગ્રહગતિમાં મન વિના નવા શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન કરે છે ત્યારે કર્મનો આસ્રવ થાય છે તેનું કારણ શું?
વિદ તૌ વર્મયો :ો રફ ા અર્થ:- [ વિગત ] વિગ્રહગતિમાં અર્થાત્ નવીન શરીર માટે ગમન કરવામાં [ વર્મયો: ] કાર્પણ કાયયોગ હોય છે.
ટીકા (૧) વિગ્રહગતિ- એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર છે.
કર્મયોગ- કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે; આત્માના પ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કાશ્મણશરીર નિમિત્તરૂપ છે તેથી તેને કર્મયોગ કહે છે, અને તે કારણે નવાં કર્મોનો તે વખતે આસ્રવ થાય છે. ( જુઓ, સૂત્ર-૪૪ ની ટીકા).
(૨) મરણ થતાં નવીન શરીર ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ કે ચાર સમય લાગે છે, તે સમયમાં કાર્મણયોગના કારણે પુગલકર્મનું તથા તૈજસવર્ગણાનું ગ્રહણ થાય છે પણ નોકર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી. || ૨૫TI
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com