________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૫ ]
[ ૧૬૩ છે. જે કાંઈ ત્રણે કાળે અન્ય દ્વારા નિષ્પન્ન થાય છે તેનું નામ કૃત છે. પાંચે ઈન્દ્રિયો દ્વારા ત્રણે કાળમાં જે સેવવામાં આવે છે તેનું નામ પ્રતિસેવિત છે. આધકર્મનું નામ આદિકર્મ છે. અર્થપર્યાય અને વ્યંજનપર્યાયરૂપે સર્વ દ્રવ્યોના આદિને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
રહસ શબ્દનો અર્થ અંતર અને અરહસ શબ્દનો અર્થ અનંતર છે. અરલ્સ એવું જે કર્મ તે અરહઃકર્મ કહેવાય છે. તેમને જાણે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયરૂપે સર્વ દ્રવ્યોના અનાદિપણાને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. આખાય લોકમાં સર્વ જીવો અને સર્વ ભાવોને જાણે છે.
શંકા- અહીં “સર્વ જીવ' પદ ગ્રહણ ન કરવું જોઈએ, કેમકે બદ્ધ અને મુક્ત પદથી તેના અર્થનું જ્ઞાન થઈ જાય છે.
સમાધાન- ના, કેમકે એક સંખ્યા વિશિષ્ટ બદ્ધ અને મુક્તનું ગ્રહણ ત્યાં ન થાય તેથી તેનો પ્રતિષેધ કરવા માટે “સર્વ જીવ' પદને નિર્દેશ કર્યો છે.
જીવ બે પ્રકારના છે-સંસારી અને મુક્ત. એમાં મુક્ત જીવ અનંત પ્રકારના છે, કેમકે સિદ્ધલોકના આદિ અને અંત પ્રાપ્ત થતા નથી.
શંકા- સિદ્ધ લોકના આદિ અને અંતનો અભાવ કેવી રીતે છે?
સમાધાન - કેમકે તેમનો પ્રવાહ સ્વરૂપે ધારાવાહી છે તથા “સર્વ સિદ્ધ જીવ સિદ્ધિની અપેક્ષાએ સાદિ છે અને સંતાનની અપેક્ષાએ અનાદિ છે' એવું સૂત્ર વચન પણ છે.
સર્વ જીવોને જાણે છે સંસારી જીવ બે પ્રકારનાં છે-ત્રસ અને સ્થાવર. ત્રસ જીવ ચાર પ્રકારના છેદ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવ બે પ્રકારના છે-સંજ્ઞી અને અસંજ્ઞી. આ બધા જીવો ત્રસપર્યાય અને અપર્યાતના ભેદથી બે પ્રકારનાં છે. અપર્યાપ્ત જીવ લધ્યપર્યાપ્ત અને નિવૃજ્યપર્યાના ભેદથી બે પ્રકારના છે. સ્થાવર જીવ પાંચ પ્રકારના છે–પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક, આ પાંચેય સ્થાવરકાયિક જીવોમાં પ્રત્યેક બે પ્રકારના છે-બાદર અને સૂક્ષ્મ. એમાં બાદર વનસ્પતિકાયિક જીવ બે પ્રકારના છે–પ્રત્યેક શરીર અને સાધારણ શરીર. અહીં પ્રત્યેક શરીર જીવ બે પ્રકારનાં છે–બાદર નિગોદ પ્રતિષ્ઠિત અને બાદર નિગોદ અપ્રતિષ્ઠિત. આ બધા સ્થાવરકાયિક જીવ પણ પ્રત્યેક બે પ્રકારના છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. અપર્યાપ્ત બે પ્રકારના છે-લધ્યપર્યાય અને નિવૃજ્યપર્યાય. એમાંથી વનસ્પતિકાયિક અનંત પ્રકારના અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com