________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮]
[ મોક્ષશાસ્ત્ર (૫) દેશાવધિ એ ઉપર [ પારા ૧ માં] કહેલા છ પ્રકાર તથા પ્રતિપાતિ અને
અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું હોય છે. પરમાવધિ અનુગામી, અનનુગામી,
વર્તમાન, અવસ્થિત, અનવસ્થિત અને અપ્રતિપાતી હોય છે. (૬) અવધિજ્ઞાન રૂપી- પુદ્ગલ તથા તે પુદ્ગલના સંબંધવાળા સંસારી જીવ (ના
વિકારી ભાવ ) ને પ્રત્યક્ષ જાણે છે. (૭) દ્રવ્ય અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-એક જીવના ઔદારિક શરીર
સંચયના લોકાકાશ-પ્રદેશપ્રમાણ ખંડ કરતાં તેના એક ખંડ સુધીનું જ્ઞાન હોય છે. દ્રવ્ય અપેક્ષાએ સર્વાવધિજ્ઞાનનો વિષય-એક પરમાણ સુધી જાણે છે. [ જાઓ, સૂત્ર ૨૮ ટીકા], દ્રવ્ય અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના દ્રવ્યોના ભેદોને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-ઉત્સધાંગુલના [ આઠ યવ મધ્યના ] અસંખ્યાતમાં ભાગ સુધીના ક્ષેત્રને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ સુધી ક્ષેત્રને જાણે છે. ક્ષેત્ર અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના ક્ષેત્રભેદોને જાણે છે. કાળ અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-(જઘન્યથી) આવલિના અસંખ્યાતભાગપ્રમાણ ભૂત અને ભવિષ્યને જાણે છે. કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ અતીત ને અનાગત કાળ ને જાણે છે. કાળ અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના કાળભેદોને જાણે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય-પહેલાં દ્રવ્યપ્રમાણ નિરૂપણ કરેલ
દ્રવ્યોની શક્તિને જાણે છે. [ શ્રી ધવલા પુસ્તક ૧, પાનું ૯૩-૯૪] (૮) કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે એમ સમજવું, એટલે કે જીવ પોતાના
પુરુષાર્થથી પોતાના જ્ઞાનનો વિશુદ્ધ અવધિજ્ઞાનપર્યાય પ્રગટ કરે છે તેમાં પોતે જ કારણ છે. અવધિજ્ઞાન વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વયં હોય એટલો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com