SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૧૭-૧૮] [ પ૭ આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છે:અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪, પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, [ ૪૪૬] = ૨૪ તથા વિષયોની અપેક્ષાએ બહુ બહુવિધ આદિ ૧૨= [ ૨૪૪૧૨] ૨૮૮ ભેદો છે. || ૧૬ અવરહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉપર કહ્યા તે ભેદો કોના છે? ૩૫ર્થસ્ય | શ૭ના અર્થ:- ઉપર કહેલા બાર અથવા ૨૮૮ ભેદો [કર્થસ્થ] પદાર્થના (દ્રવ્યનાવસ્તુના) છે. ટીકા આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે. કોઈ કહે કે “રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.' આ કહેવું બરાબર નથી- એમ અહીં બતાવ્યું છે. “ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે” એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે “મેં રૂપ જોયું, મેં ગંધ સૂધી; પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યાયો સાથે થતો નથી. / ૧૭ના અવગ્રહજ્ઞાનમાં વિશેષતા વૈષ્ણનચાવપ્રદાા ૨૮ાા. અર્થ - [ સંપ્નનસ્ય] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [શવપ્રદ] માત્ર અવગ્રહું-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી. ટીકા અવગ્રહના બે ભેદ છે-(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ. વ્યંજનાવગ્રહ- અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહુ કહે છે. અર્થાવગ્રહ-વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008401
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy