________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ મોક્ષશાસ્ત્ર
પ્રશ્ન:- સાંવ્યવહારિક મતિજ્ઞાનનું નિમિત્તકા૨ણ ઇંદ્રિયાદિ કહ્યું તેમ ( જ્ઞેય ) પદાર્થ અને અજવાળાને નિમિત્તકા૨ણ કેમ કહ્યાં નથી ?
પ્રશ્નકારની દલીલ:- અર્થ-વસ્તુથી પણ જ્ઞાન ઊપજે છે; અને પ્રકાશથી પણ જ્ઞાન ઊપજે છે; તેને નિમિત્ત કહેવામાં ન આવે તો બધાં નિમિત્તકા૨ણો આવી જતાં નથી, તેથી સૂત્ર અપૂર્ણ રહે છે.
સમાધાનઃ- આચાર્ય ભગવાન કહે છે કે
नार्थालोकौकारणं परिच्छेद्यत्वात्तमोवत्।।
(બીજો સમુદ્દેશ )
અર્થ:- અર્થ (વસ્તુ ) અને આલોક (પ્રકાશ ) એ બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષનું કારણ નથી, પણ તે માત્ર પરિચ્છેદ્ય (શૈય-જાણવા યોગ્ય) છે, જેમ અંધકાર શૈય તેમ જ તે જ્ઞેય છે.
આ ન્યાય સમજાવવા માટે ત્યારપછી સાતમું સૂત્ર આપ્યું છે તેમાં જણાવ્યું છે કે–અર્થ અને આલોક હોય ત્યારે જ્ઞાન ઊપજે જ અને ન હોય ત્યારે ન ઊપજે એવો નિયમ નથી. તેનાં દષ્ટાંતો:
દૃષ્ટાંત-(૧):- એક માણસના માથા ઉપર મચ્છરનો સમૂહ ઊડતો હતો પણ બીજાએ તેને વાળનો ઝૂમખો દીઠો-જાણ્યો; અહીં અર્થ (વસ્તુ) જ્ઞાનનું કારણ ન થયું, દૃષ્ટાંત-( ૨ ):- અંધારામાં બિલાડી, ચોર, રાતના ચરનારા વગેરે દેખે છે, તેથી જ્ઞાન થવામાં પ્રકાશ કારણ આવ્યું નહિ.
ઉ૫૨ દષ્ટાંત ૧ માં તો મચ્છરોનો સમૂહ હતો છતાં જ્ઞાન તો કેશ (વાળ ) ના ઝૂમખાનું થયું; જો અર્થ જ્ઞાનનું કારણ હોય તો કેશના ઝૂમખાનું જ્ઞાન કેમ થયું અને મચ્છરોના સમૂહનું જ્ઞાન કેમ ન થયું? અને દષ્ટાંત ૨ માં બિલાડી આદિને અંધારામાં જ્ઞાન થયું; જો પ્રકાશ જ્ઞાનનું કારણ હોય તો તેને અંધારામાં જ્ઞાન કેમ થયું ?
પ્રશ્ન:- ત્યારે આ મતિજ્ઞાન શું કારણે થાય છે?
ઉત્ત૨:- ક્ષાયોપમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે; જ્ઞાન થવાનું એ કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે, વસ્તુને અનુસરીને થતું નથી, તેથી વસ્તુ જ્ઞાન થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. આગળ સૂત્ર ૯ માં આ ન્યાય સિદ્ધ કર્યો છે.
જેમ દીપક ઘટ વગેરે પદાર્થોથી ઊપજતો નથી તોપણ તે અર્થનો પ્રકાશક છે. [સૂત્ર-૮]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com