________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
જોઈએ. એમ કહીને સ્વચ્છેદે પ્રવર્તે છે તે જીવે દયાના આચરણનો નાશ કર્યો. બાહ્યમાં તો નિર્દય થયો જ અને અંતરંગ નિમિત્ત પામી પરિણામ અશુદ્ધ થાય જ થાય; તેથી તે અંતરંગની અપેક્ષાએ પણ નિર્દય થયો. કેવો છે તે જીવ? બાહ્ય દ્રવ્યરૂપ અન્ય જીવની દયામાં આળસુ છે, પ્રમાદી છે અથવા આ સૂત્રનો બીજી રીતે અર્થ કરીએ છીએ. ‘ય: નિશ્વયં નવુધ્યમન: તમેવ નિયત: સંશ્રયતે સ: વનિ: સ્TI મારાં નાશયતિ'– જે જીવ નિશ્ચયનયના સ્વરૂપને નહિ જાણીને વ્યવહારરૂપ જે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે તેને જ નિશ્ચયથી મોક્ષમાર્ગ જાણી અંગીકાર કરે છે તે જીવ શુદ્ધોપયોગરૂપ જે આત્માની દયા તેનો નાશ કરે છે.
ભાવાર્થ- જે જીવ નિશ્ચયનયનું સ્વરૂપ તો જાણે નહિ, કેવળ વ્યવહારમાત્ર બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ કરે, ઉપવાસાદિકને અંગીકાર કરે, એ પ્રમાણે બાહ્ય વસ્તુમાં હેયઉપાદેયબુદ્ધિરૂપે પ્રવર્તે છે, તે જીવ પોતાના સ્વરૂપ અનુભવરૂપ શુદ્ધોપયોગમય અહિંસા ધર્મનો નાશ કરે છે. કેવો છે તે જીવ? ‘વદિ: રVનિસ:'– ઉધમ વડ તેણે અશુભોપયોગનો તો ત્યાગ કર્યો પણ બાહ્ય પરજીવની દયારૂપ ધર્મ તેના જ સાધનમાં આળસુ થઈને બેસી રહ્યો, શુદ્ધોપયોગ ભૂમિકામાં ચઢવાનો ઉધમ કરતો નથી. આ રીતે એકાંતપક્ષવાળાનો નિષેધ કર્યો. આગળ દ્રવ્યહિંસા અને ભાવહિંસાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના ભંગ બતાવે છે. ૫૦.
તેના આઠ સૂત્ર કહે છે:
अविधायापि हि हिंसां हिंसाफलभाजनं भवत्येकः। कृत्वाप्यपरो हिंसा हिंसाफलभाजनं न स्यात्।। ५१।।
અન્વયાર્થઃ- [ દિ] ખરેખર [ :] એક જીવ [ હિંસાં ] હિંસા [ વિયાય ગરિ] ન કરવા છતાં પણ [હિંસાનમાન] હિંસાના ફળને ભોગવવાને પાત્ર [ મવતિ] બને છે અને [ કપર:] બીજો [ હિંસા કૃત્વા પિ] હિંસા કરીને પણ [ હિંસાપત્તમાનન] હિંસાનું ફળ ભોગવવાને પાત્ર [ન ચાર્] થતો નથી.
ટીકાઃ- “દિ : હિંસાં વિધાય કપિ હિંસામાનનું ભવતિ' નિશ્ચયથી કોઈ એક જીવ હિંસા ન કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર બને છે.
ભાવાર્થ - કોઈ જીવે બાહ્ય હિંસા તો કરી નથી પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો છે તેથી તે જીવ ઉદયકાળમાં હિંસાનું ફળ ભોગવે છે. “મપુર: હિંસ કૃત્વ કપિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com