SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ છે, વૃક્ષોનાં પુષ્પો પડે છે, જાણે કે વૃક્ષો આંસુ સારે છે. સ્વભાવથી જ મીઠો સ્વર અને શોકથી વિલાપ કરે છે કે અરેરે! નરોત્તમ રામ! મારી રક્ષા કરો. મારી સાથે વાર્તાલાપ કરો. તમે તો નિરંતર ઉત્તમ ચેષ્ટાના ધારક છો, અતિગુણવાન શાંતચિત્ત છો, તમારો લેશમાત્ર દોષ નથી. મેં પૂર્વભવમાં અશુભ કાર્ય કર્યા હતાં તેનું ફળ મળ્યું છે. જેવું કરે તેવું ભોગવે. પતિ શું કરે કે પુત્ર શું કરે, માતાપિતા–બાંધવ કોઈપણ શું કરે? પોતાનાં કર્મ ઉદયમાં આવે તેને અવશ્ય ભોગવવાનાં છે. મેં મંદભાગિનીએ પૂર્વજન્મમાં અશુભ કર્મ કર્યા તેના ફળમાં આ નિર્જન વનમાં દુઃખ પામી. મેં પૂર્વભવમાં કોઈની નિંદા કરી હશે તેના પાપથી આ કષ્ટ મળ્યું. પૂર્વભવમાં ગુરુની પાસેથી વ્રત લઈને ભાંગ્યું હશે તેનું આ ફળ આવ્યું અથવા વિષફળ સમાન દુર્વચનથી કોઈનું અપમાન કર્યું તેથી આ ફળ મળ્યું. પરભવમાં મેં કમળોના વનમાં રહેતાં ચકલા-ચકવીના યુગલનો વિયોગ કરાવ્યો હશે તેથી મને સ્વામીનો વિયોગ થયો અથવા મેં પરભવમાં કુચેષ્ટા કરીને હંસ-હંસીના યુગલનો વિયોગ કરાવ્યો, જે કમળોથી ભરપૂર સરોવરોમાં નિવાસ કરે છે, મોટા પુરુષોની ચાલને જેની ઉપમા આપવામાં આવે છે, જેના શબ્દ અતિસુંદર હોય છે, જેની આંખ, ચાંચ અને પગ કમળ જેવાં લાલ હોય છે તેવા હંસયુગલના વિયોગ કરાવવાથી આવી દુઃખઅવસ્થા પામી છું. મેં પાષિણીએ કબૂતર-કબૂતરીનાં જોડાંને જુદા પાડ્યાં અથવા તેમને સારા સ્થાનમાંથી ખરાબ સ્થાનમાં મૂકયાં, બાંધ્યાં, માર્યા તેના પાપથી અસંભાવ્ય દુઃખ પ્રાપ્ત થયું. વસંતઋતુમાં ખીલેલાં વૃક્ષો પર ક્રીડા કરતાં કોયલનાં જોડાને જુદા કર્યા હોય તેનું આ ફળ છે અથવા જ્ઞાની જીવોએ વંદવાયોગ્ય, મહાવ્રતી જિતેન્દ્રિય મુનિઓની નિંદા કરી અથવા પૂજાદાનમાં વિજ્ઞ કર્યું, પરોપકારમાં અંતરાય કર્યો, હિંસા વગેરે પાપ કર્યા, ગ્રામદાહ, વનદા, સ્ત્રી-બાળક-પશુપાત ઈત્યાદિ પાપ કર્યા તેનું આ ફળ છે. અળગણ પાણી પીધું રાત્રે ભોજન કર્યું, સડેલું અનાજ ખાધું, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કર્યું, ન કરવા જેવાં કામ કર્યા તેનું આ ફળ છે. હું બળભદ્રની પટરાણી, સ્વર્ગ સમાન મહેલમાં વસનારી હજારો સખીઓ મારી સેવા કરતી હોય તે અત્યારે પાપના ઉદયથી નિર્જન વનમાં દુઃખના સાગરમાં ડૂબીને કેવી રીતે જીવું? રત્નોના મહેલમાં, અમૂલ્ય વસ્ત્રોથી શોભિત સુંદર શય્યા પર સુનારી હું ક્યાં પડી છું? હું હવે એકલી વનમાં કેવી રીતે રહી શકીશ? મધુર વીણા -બંસરી-મૃદંગાદિના સ્વરોથી સુખનિદ્રા લેનારી હું વનમાં ભયંકર અવાજ સાંભળતી એકલી કેવી રીતે રહીશ? રામદેવની પટરાણી અપયશરૂપી દાવાનળથી જલતી; અનેક જંતુઓ, તીક્ષ્ણ દર્ભની અણી અને કાંકરાથી ભરપૂર ધરતી પર કેવી રીતે સૂઈ શકીશ? આવી અવસ્થા પામીને પણ મારા પ્રાણ નહિ જાય તો એ પ્રાણ જ વજના છે. આવી અવસ્થા પામીને મારા હૃદયના સો ટુકડા નથી થતા તો તે હૃદય વજનું છે. શું કરું? ક્યાં જાઉં? કોને શું કહ્યું? કોના આશ્રયે રહું? અરેરે પિતા જનક ! અરે, માતા વિદેહી ! આ શું થયું? અરે, વિદ્યાધરોના સ્વામી ભામંડળ ! હું દુઃખના વમળમાં પડીને કેવી રીતે રહું? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy