________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકાસીમું પર્વ
૪૯૯ વૃક્ષ નીચે વિશ્રામ કરતો હશે? હું મંદભાગિની, અત્યંત દુ:ખી મને તજીને તું ભાઈ લક્ષ્મણ સાથે કઈ દિશામાં ગયો છો? આમ માતા વિલાપ કરે છે તે વખતે નારદ ઋષિ આકાશમાર્ગેથી આવ્યા. તે સદા અઢી દ્વીપમાં ફરતા જ રહે છે. શિર પર જટા, શુક્લ વસ્ત્ર પહેર્યા છે, તેને સમીપમાં આવેલા જોઈ કૌશલ્યાએ ઊભા થઈને તેમનો આદર કર્યો. સિંહાસન આપીને સન્માન કર્યું. નારદે તેને આંસુ સાથે શોક કરતી જોઈ પૂછયું, હે કલ્યાણરૂપિણી! તું આટલી દુઃખી કેમ છો? તારા દુઃખનું કારણ શું છે? સુકૌશલ મહારાજની પુત્રી, લોકપ્રસિદ્ધ દશરથ રાજાની રાણી, મનુષ્યોમાં રત્ન એવા શ્રી રામચંદ્રની માતા તમને કોણે દુઃખ આપ્યું? જે તારી આજ્ઞા ન માને તે દુષ્ટ છે, અબ ઘડી રાજા દશરથ તેને શિક્ષા કરશે. ત્યારે માતાએ નારદને કહ્યું કે હે દેવર્ષિ! તમને અમારા ઘરના વૃત્તાંતની ખબર નથી તેથી તમે આમ બોલો છો. તમારું આ ઘર પ્રત્યે જેવું વાત્સલ્ય પહેલાં હતું તે તમે ભૂલી ગયા છો, તમારું ચિત્ત કઠોર થઈ ગયું છે. હવે અહીં આવવાનું છોડી દીધું છે. તેથી તમે વાત જ નહિ સમજો. હું ભ્રમણપ્રિય! તમે ઘણા દિવસે આવ્યા છો, ત્યારે નારદે કહ્યું કે હે માતા! ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રના સુરેન્દ્રરમણ નામના નગરમાં તીર્થકર ભગવાનનો જન્મકલ્યાણક થયો. ઇન્દ્રાદિક દેવો આવ્યા, ભગવાનને સુમેરુ પર લઈ ગયા, અદભુત વિભૂતિથી જન્માભિષેક કર્યો. તે દેવાધિદેવનો અભિષેક મેં જોયો જેને જોતાં ધર્મની વૃદ્ધિ થાય. ત્યાં દેવોએ આનંદ નૃત્ય કર્યું. શ્રી જિનેન્દ્રનાં દર્શનમાં મારી અનુરાગરૂપ બુદ્ધિ છે તેથી મહામનોહર ધાતકીખંડમાં તેવીસ વર્ષ મેં સુખમાં વીતાવ્યાં. તમે મારી માતા સમાન છો તેથી તમારી યાદ આવતાં આ ભરતક્ષેત્રમાં આવ્યો. હવે થોડા દિવસો આ મંડળમાં રહીશ. હવે મને બધો વૃત્તાંત કહો, તમારાં દર્શન માટે હું આવ્યો છું. પછી કૌશલ્યાએ બધી વાત કરી. ભામંડળનું ત્યાં આવવું અને વિધાધરોનું ત્યાં આવવું, ભામંડળને વિધાધરોનું રાજ્ય, રાજા દશરથનું અનેક રાજાઓ સહિત વૈરાગ્યગ્રહણ, રામચંદ્રનું લક્ષ્મણ અને સીતા સાથે વિદેશગમન, સીતાનો વિયોગ, સુગ્રીવાદિક રાજા સાથે મેળાપ, રાવણ સાથે યુદ્ધ, લંકેશની શક્તિનું લક્ષ્મણને લાગવું. દ્રોણમેઘની કન્યાને ત્યાં જવું; આટલી ખબર અમને છે. પછી શું થયું તેની ખબર નથી. આમ કહી દુઃખથી વિલાપ કરવા લાગી કે અરે પુત્ર! તું ક્યાં ગયો? શીધ્ર મને જવાબ આપ. શોક સાગરમાં ડૂબેલી મને બહાર કાઢ, હું પુણ્યહીન તારું મુખ જોયા વિના દુઃખરૂપ અગ્નિમાં બળું છું, મને શાતા પમાડ. સીતા બાળક છે, પાપી રાવણે તેને બંદીગૃહમાં નાખી છે, તે દુ:ખમાં રહેતી હશે. નિર્દય રાવણે લક્ષ્મણને શક્તિ મારી છે તે ખબર નથી કે તે જીવે છે નહિ. અરેરે ! બન્ને દુર્લભ પુત્ર છો. હાય સીતા ! તું પતિવ્રતા છતાં કેમ દુ:ખ પામી? કૌશલ્યાના મુખે આ શબ્દો સાંભળી નારદ અતિ ખેદખિન્ન થયા. વણા ધરતી પર ફેંકી દીધી અને અચેત થઈ ગયા. જાગ્રત થયા પછી તેણે કહ્યું, હે માતા ! તમે શોક છોડો. હું હમણાં જ તમારા પુત્રોના ક્ષેમકુશળ સમાચાર લાવું છું. મારામાં બધી જાતનું સામર્થ્ય છે. આવી પ્રતિજ્ઞા કરીને નારદ વિણા ઉપાડી ખભે મૂકી આકાશમાર્ગે ગમન કર્યું. પવનસમાન વેગવાળા તેમણે અનેક દેશ જોયા અને લંકા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com