________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૬ અઠોતેરમું પર્વ
પદ્મપુરાણ તેવી વિકરાળ ભૂમિવાળા છે, ત્યાં નારકી જીવો સદા દુર્વચન બોલતાં, ત્રાસ ફેલાવતા, જાતજાતના છેદનભેદનથી પીડિત સાગરો પર્યતનો કાળ તીવ્ર દુઃખ ભોગવે છે. આમ જાણી પંડિત, વિવેકી પાપબંધથી રહિત થઈ ધર્મમાં ચિત્તને લગાડ, વિવેકી જીવો વ્રતનિયમ ધારે છે. તેમનો સ્વભાવ નિષ્કપટ હોય, તેઓ નાના પ્રકારનાં તપથી સ્વર્ગ પામે છે. પછી મનુષ્યદેહુ પામી મોક્ષ પામે છે. જે ધર્મની અભિલાષા રહિત છે તે કલ્યાણ માર્ગથી રહિત વારંવાર જન્મમરણ કરતાં સંસારમાં ભ્રમણ કરે છે. જે ભવ્ય જીવ સર્વજ્ઞ વીતરાગનાં વચનથી ધર્મમાં રહે છે તે મોક્ષમાર્ગી શીલ, શૌચ, સત્ય, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રથી જ્યાં સુધી આઠ કર્મોનો નાશ ન કરે ત્યાં સુધી ઇન્દ્ર અહમિન્દ્ર પદનાં ઉત્તમ સુખ ભોગવે છે. નાના પ્રકારના અદ્ભુત સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને મહારાજાધિરાજ થઈ. જ્ઞાન પામી, જિનમુદ્રા ધરી, તપ કરીને કેવળજ્ઞાન પામી અષ્ટકર્મરહિત સિદ્ધ થાય છે. અનંત, અવિનાશી આત્મિક સ્વભાવમય પરમ આનંદ ભોગવે છે. આ વ્યાખ્યાન સાંભળી ઇન્દ્રજિત મેઘનાદે પોતાના પૂર્વભવ પૂછયા. કેવળીએ ઉત્તરમાં કહ્યું કે એક કૌશાંબી નામની નગરી હતી, તેમાં બે ગરીબ ભાઈઓ પ્રથમ અને પશ્ચિમ રહેતા. એક દિવસ વિહાર કરતાં ભવદત્ત નામના મુનિ ત્યાં આવ્યા. આ બન્ને ભાઈ ધર્મશ્રવણ કરીને અગિયારમી પ્રતિમાના ધારક ક્ષુલ્લક શ્રાવક થયા. તે મુનિના દર્શન કરવા કૌશાંબીનો રાજા ઇન્દુ આવ્યો અને તે જ સમયે મહાન જિનભક્ત નંદી નામનો શ્રેષ્ઠી મુનિના દર્શન માટે આવ્યો. રાજાએ તેનો આદર કર્યો. તેને જોઈને બન્ને ભાઈઓમાંથી નાના ભાઈ પશ્ચિમે નિદાન કર્યું કે હું આ ધર્મના પ્રસાદથી નંદી શેઠનો પુત્ર થાઉં. તેને મોટા ભાઈ અને ગુરુએ ખૂબ સમજાવ્યો કે જિનશાસનમાં નિદાનની ખૂબ નિંદા કરી છે, પણ તે સમજ્યો નહિ. દુર્બુદ્ધિવાળો તે નિદાનથી દુઃખી થયો. તે મરીને નંદીની ઇન્દુમુખી નામની સ્ત્રીના ગર્ભમાં આવ્યો. તે ગર્ભમાં આવતાં જ મોટા મોટા રાજાઓના નગરોમાં કોટકિલ્લાનું પડવું, દરવાજાનું પડવું વગેરે પ્રકારનાં ચિહ્ન થયાં. મોટા મોટા રાજા અને નાના પ્રકારનાં નિમિત્તોથી મહાન નર જાણી જન્મથી જ અતિ આદર સહિત દૂત મોકલીને દ્રવ્ય મોકલીને તેની સેવા કરવા લાગ્યા. એ મોટો થયો, એનું નામ રતિવર્ધન. બધા રાજા એની સેવા કરે, કૌશાંબી નગરનો રાજા ઇન્દુ પણ સેવા કરે, નિત્ય આવીને પ્રણામ કરે. આ પ્રમાણે આ રતિવર્ધન ખૂબ વિભૂતિ પામ્યો તેનો મોટો ભાઈ પ્રથમ મરીને સ્વર્ગમાં ગયો તે નાના ભાઈના જીવને સંબોધવા માટે ક્ષુલ્લકનું રૂપ લઈને આવ્યો. આ મદોન્મત્ત મદથી અંધ થયો હતો તેથી દુષ્ટ લોકો દ્વારા ક્ષુલ્લક દ્વારમાં પેસતાં રોક્યો. એટલે દેવે ક્ષુલ્લકનું રૂપ દૂર કરી રતિવર્ધનનું રૂપ કર્યું. તત્કાળ તેનું નગર ઉજાડીને મેદાન કરી નાખ્યું અને કહ્યું હવે તારી શી વાત છે? આથી તે પગે પડી સ્તુતિ કરવા લાગ્યો. તેને સકળ વૃત્તાંત કહ્યો, કે આપણે બન્ને ભાઈ હતા, હું મોટો અને તું નાનો. બન્નેએ ક્ષુલ્લકના વ્રત લીધાં હતાં. તે નંદી શેઠને જોઈને નિદાન કર્યું હતું તેથી મરીને નંદીને ઘેર જભ્યો, રાજવિભૂતિ મેળવી; અને હું સ્વર્ગના દેવ થયો. આ બધી વાત સાંભળી રતિવર્ધનને સમ્યકત્વ ઉત્પન્ન થયું. તે મુનિ થયો અને તેની સાથે નંદી વગેરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com