SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ ત્રીજું પર્વ પદ્મપુરાણ માટે ક્ષીરસાગરના જળથી સુવર્ણકળશ ભરી અભિષેક કરવાને તૈયાર થયા. કેવા છે કળશ ? જેના મુખની પહોળાઈ એક યોજનની છે અને પેટાળમાં ચાર યોજન પહોળો છે, આઠ યોજન ઊંડા છે, જેનું મુખ કમળ અને પત્રોથી ઢંકાયેલું છે એવા એક હજાર અને આઠ કળશોથી ઇન્દ્ર અભિષેક કરાવ્યો. વિક્રિયા ઋદ્ધિના સામર્થ્યથી ઇન્દ્રે પોતાનાં અનેક રૂપ કર્યાં અને ઇન્દ્રોના લોકપાલ સોમ, વરુણ, યમ, કુબેર બધાએ અભિષેક કર્યો. ઇન્દ્રાણી આદિ દેવીઓએ પોતાના હાથથી ભગવાનના શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો. કેવી છે ઇન્દ્રાણી ? પલ્લવ (પત્ર) સમાન છે હાથ જેના અને મહિગિર સમાન છે ભગવાન, તેમને મેઘ સમાન કળશોથી સ્નાન કરાવ્યું, આભૂષણ પહેરાવ્યાં. કાનમાં ચંદ્રસૂર્ય સમાન બે કુંડલ પહેરાવ્યાં અને મસ્તક ઉપર પદ્મરાગમણિના આભૂષણ પહેરાવ્યા જેની કાંતિ દર્શ દિશાઓમાં ફેલાઈ ગઈ. અર્ધચન્દ્રાકાર કપાળમાં ચંદનનું તિલક કર્યું, બન્ને ભૂજાઓ ઉ૫૨ રત્નોના બાજુબંધ પહેરાવ્યાં અને શ્રીવત્સ લક્ષણયુક્ત હૃદય ઉપર નક્ષત્રમાળા સમાન મોતીઓની સત્તાવીસ સે૨નો હાર પહેરાવ્યો અને અનેક લક્ષણના ધારક ભગવાનને મહામણિમય કડાં પહેરાવ્યાં. રત્નમય કંદોરાથી નિતંબ શોભાયમાન થયા, જેમ પહાડનો તટ વીજળીથી શોભે છે. તેમ બધી આંગળીઓમાં રત્નજડિત મુદ્રિકા પહેરાવી. આ પ્રમાણે દેવીઓએ ભક્તિથી સર્વ આભૂષણો પહેરાવ્યાં તે આભૂષણો ત્રણ લોકના આભૂષણ એવા શ્રી ભગવાનના શરીરની જ્યોતિથી અત્યંત પ્રકાશિત થયા. આભૂષણોથી ભગવાનના શરીરની શી શોભા થાય? વળી કલ્પવૃક્ષનાં ફૂલોવાળું ઉત્તરાસન પણ આપ્યું. જેમ તારાઓથી આકાશ શોભે છે તેમ પુષ્પોથી આ ઉત્તાસન શોભે છે. તે ઉપરાંત પારિજાત, સન્તાનક આદિ કલ્પવૃક્ષનાં ફૂલોથી બનાવેલો મુગટ તેમના શિર પર મુક્યો, તેના ઉ૫૨ ભમરા ગુંજારવ કરતા હતા. આ પ્રમાણે ત્રૈલોક્યભૂષણને આભૂષણ પહેરાવ્યાં. ઇન્દ્રાદિક દેવો સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ ! કાળના પ્રભાવથી જ્યાં ધર્મનો નાશ થયો છે એવું આ જગત મહાન અજ્ઞાન અંધકારથી ભર્યું છે, તેમાં ભ્રમણ કરતાં ભવ્ય જીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરવા અને મોહિતમિરનો નાશ કરવા આપ સૂર્યરૂપે ઉદિત થયા છો. હું જિનચન્દ્ર! આપનાં વચનરૂપી કિરણોથી ભવ્ય જીવરૂપી કુમુદ્દોની પંક્તિ પ્રફુલ્લિત થશે, ભવ્યોને તત્ત્વનું દર્શન કરાવવા માટે આ જગતરૂપ ઘરમાં આપ કેવળજ્ઞાનમય દીપક પ્રગટ થયા છો અને પાપરૂપ શત્રુઓના નાશ માટે જાણે કે આપ તીક્ષ્ણ બાણ જ છો. આપ ધ્યાનાગ્નિ દ્વારા ભવાટવીને ભસ્મ કરનાર છો અને દુષ્ટ ઈન્દ્રિયરૂપ સર્પને વશ કરવા માટે ગરુડ સમાન છો તેમ જ શંકારૂપી વાદળાઓને ઉડાડી મૂકવા માટે પ્રબળ પવન છો. હે નાથ! ભવ્ય જીવરૂપી પપીહા આપનાં ધર્મામૃતરૂપ વચનનું પાન કરવા માટે આપને જ મહામેઘ જાણીને આપની સન્મુખ આવ્યા છે. આપની અત્યંત નિર્મળ કીર્તિ ત્રણ લોકમાં ગણાય છે. આપને નમસ્કાર હો. આપ કલ્પવૃક્ષ છો, ગુણરૂપ પુષ્પોથી શોભતા મનવાંછિત ફળ આપો છો, આપ કર્મરૂપ કાષ્ઠને કાપવા માટે તીક્ષ્ણ ધારદાર મહા કુઠાર છો. હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આ મોહરૂપ પર્વતને ભેદવા માટે વજ્રરૂપ Please inform us of any errors on [email protected]
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy