________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
બોત્તે૨મું ૫ર્વ
૪૬૩
મારો ભાઈ મહાપંડિત વિભીષણ બધું જાણતો હતો, તેણે મને ઘણો સમજાવ્યો, મારું મન વિકારી થયું હતું તેથી તેનું માન્યું નહિ, તેના પર દ્વેષ કર્યો. જો વિભીષણનાં વચનોથી મૈત્રીભાવ કર્યો હોત તો સારું હતું. ભયંકર યુદ્ધ થયું, અનેક હણાયા, હવે મિત્રતા કેવી ? આ મૈત્રી સુભટોને યોગ્ય નથી. અને યુદ્ધ કરવું તથા દયા પાળવી એ પણ બને નહિ, અરે, હું સામાન્ય માણસની જેમ સંકટમાં પડયો છું. જો હું જાનકીને રામની પાસે મોકલી દઉં તો લોકો મને અસમર્થ ગણશે અને યુદ્ધ કરીશ તો મહાન હિંસા થશે. કોઈ એવા છે, જેમને દયા નથી, કેવળ ક્રૂરતારૂપ છે, તે પણ કાળક્ષેપ કરે છે અને કોઈ દયાળુ છે, સંસારી કાર્યરહિત છે, તે સુખપૂર્વક જીવે છે. હું માની યુદ્ધનો અભિલાષી અને કરુણાભાવ વિનાનો અત્યંત દુઃખી છું. રામને સિંહવાહન તથા લક્ષ્મણને ગરુડવાહન વિધા મળી છે તેનાથી તેમનો ઉદ્યોત ઘણો છે તેથી જો હું એમને જીવતાં પકડું, શસ્ત્રરહિત કરું અને પછી ઘણું ધન આપું તો મારી મહાન કીર્તિ થાય, મને પાપ ન લાગે, એ ન્યાય છે, માટે એમ જ કરું. આમ મનમાં વિચારીને મહાન વૈભવ સંયુક્ત રાવણ રાજ્ય પરિવારમાં ગયો, જેમ મત્ત હાથી કમળોના વનમાં જાય છે. પછી વિચાર કર્યો કે અંગદે ઘણી અનીતિ કરી છે તેથી તેને ખૂબ ક્રોધ ચડયો, આંખો લાલ થઈ ગઈ. રાવણ હોઠ કરડતો બોલવા લાગ્યો, તે પાપી સુગ્રીવ નથી, દુગ્રીવ છે, તેને નિગ્રીવ એટલે મસ્તકરહિત કરીશ, તેના પુત્ર અંગદ સહિત ચદ્રહાસ ખડ્ગથી ટુકડા કરી નાખીશ. તમોમંડળને લોકો ભામંડળ કહે છે તે અત્યંત દુષ્ટ છે. તેને દઢ બંધનથી બાંધી લોઢાના મુદ્દગરોથી ટીપીને મારીશ. અને હનુમાનને તીક્ષ્ણ કરવતની ધારથી લાકડાના યુગલમાં બાંધી વેરાવીશ. તે મહાઅનીતિવાન છે. એક રામ ન્યાયમાર્ગી છે તેને છોડીશ. બીજા બધા અન્યાયમાર્ગી છે, તેમનાં શસ્ત્રોથી ચૂરા કરી નાખીશ, એમ વિચારતો રાવણ બેઠો, ત્યાં સેંકડો ઉત્પાત થવા લાગ્યા, સૂર્યમંડળ આયુધ સમાન તીક્ષ્ણ દેખાયું, પૂર્ણમાસનો ચંદ્ર અસ્ત થઈ ગયો, આસન પર ભૂકંપ થયો, દશે દિશાઓ કંપાયમાન થઈ, ઉલ્કાપાત થયા, શિયાલિની કર્કશ અવાજ કરવા લાગી, તુરંગો માથું હલાવી વિરસ હણહણાટ કરવા લાગ્યા, હાથી કઠોર અવાજ કરવા લાગ્યા. સૂંઢથી ધરતી ખોદવા માંડયા, યક્ષોની મૂર્તિની આંખોમાંથી આંસુ ખર્યાં, સૂર્ય સામે કાગડા કા કા કરવા લાગ્યા, પાંખ ઢીલી કરીને ખૂબ વ્યાકુળ થયા. જળથી ભરેલાં સરોવ૨ો સુકાઈ ગયાં, પર્વતનાં શિખરો તૂટી પડયાં અને લોહીનો વરસાદ વરસ્યો. લાગતું હતું કે થોડા જ દિવસોમાં લંકેશ્વરનું મૃત્યુ થશે, આવા અપશુકન બીજા પ્રકારે ન હોય. જ્યારે પુણ્યનો ક્ષય થાય ત્યારે ઇન્દ્ર પણ બચતો નથી. પુરુષમાં પૌરુષ પુણ્યના ઉદયથી હોય છે. જે કાંઈ મળવાનું હોય તે જ મળે છે, હીન-અધિક નહિ. પ્રાણીઓની શૂરવીરતા સુકૃતના બળથી હોય છે.
જુઓ, રાવણ નીતિશાસ્ત્રમાં પ્રવીણ, સમસ્ત લૌકિક નીતિરીતિનો જાણકા૨, વ્યાકરણનો અભ્યાસી, ગુણોથી મંડિત તે કર્મોથી પ્રેરાયો થકો અનીતિમાર્ગે ચાલ્યો, મૂઢબુદ્ધિ થયો. લોકમાં મરણથી વધારે કોઈ દુ:ખ નથી તે એણે અત્યંત ગર્વથી વિચાર્યું નહિ. નક્ષત્રોના બળરહિત અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com