SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ચુમાળીસમું પર્વ તળાવમાં ભેંસ અનુરાગી થાય અને લીલાછમ અનાજના ખેતરમાં હરણી અભિલાષી થાય તેમ આમના પ્રત્યે એ આસક્ત થઈ. તે એક પુન્નાગ વૃક્ષની નીચે બેસી રુદન કરવા લાગી, અત્યંત દીન શબ્દ ઉચ્ચારવા લાગી. વનની રજથી તેનું શરીર મલિન થઈ ગયું હતું, તેને જોઈને રામની રમણી સીતા અત્યંત દયાળુ ચિત્તવાળી હતી તે ઊઠીને તેની સમીપે આવી અને કહેવા લાગી કે તું શોક ન કર. તેનો હાથ પકડી, તેને શુભ વચનો કહી, વૈર્ય આપી રામની પાસે લાવી. ત્યારે રામે પૂછયું કે તું કોણ છે? આ દુષ્ટ પ્રાણીઓથી ભરેલા વનમાં એકલી કેમ ફરે છે? ત્યાં કમળ સરખા નેત્રવાળી અને ભમરાના ગુંજારવ સમાન વચનોવાળી તે કહેવા લાગી કે હે પુરુષોત્તમ ! મારી માતા તો મૃત્યુ પામી તેની મને ખબર નથી, હું ત્યારે બાળક હતી. વળી, તેના શોકથી પિતા પણ પરલોકમાં ગયા. તેથી હું પૂર્વના પાપથી કુટુંબરહિત થઈ દંડકવનમાં આવી. મને મરવાની અભિલાષા છે, પણ આ ભયાનક વનમાં કોઈ દુષ્ટ પ્રાણીએ મારું ભક્ષણ કર્યું નહિ. ઘણા દિવસોથી આ વનમાં ભટકું છું. આજે મારા પાપકર્મનો નાશ થયો તેથી આપનાં દર્શન થયા. હવે મારા પ્રાણ છૂટયા પહેલાં મને કૃપા કરીને ઇચ્છો. જે કન્યા કુળવાન, શીલવાન હોય તેને કોણ ન ઇચ્છે? બધા જ ઇચ્છે. એના લજ્જારહિત વચન સાંભળીને બન્ને ભાઈ નરોત્તમ પરસ્પર અવલોકન કરીને મૌન રહ્યા. બન્ને ભાઈ સર્વ શાસ્ત્રના અર્થના જ્ઞાનરૂપ જળથી મનને ધોઈ ચૂક્યા છે, કૃત્ય-અકૃત્યના વિવેકમાં પ્રવીણ છે. પછી એમનું ચિત્ત નિષ્કામ જાણીને તે નિશ્વાસ નાખી કહેવા લાગી કે હું જઉં? રામ-લક્ષ્મણે કહ્યું કે તારી ઇચ્છા હોય તે પ્રમાણે કર. પછી તે ચાલી ગઈ. તેના ગયા પછી રામ, લક્ષ્મણ, સીતા આશ્ચર્ય પામ્યાં. આ ક્રોધાયમાન થઇને શીધ્ર પતિની સમીપે ગઈ. લક્ષ્મણ મનમાં વિચારવા લાગ્યા કે એ કોની પુત્રી હશે? ક્યા દેશમાં જન્મી હશે? ટોળામાંથી છૂટી પડી ગયેલી હરણી જેવી અહીં કેમ આવી હશે? હે શ્રેણિક! આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા જેવું નથી, આનો પરિપાક શુભ થશે કે અશુભ, એવો વિચાર જેવી બુદ્ધિ અજ્ઞાનરૂપ તિમિરથી આચ્છાદિત છે તેવા અવિવેકથી રહિત છે તે આ લોકમાં જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી યોગ્ય-અયોગ્ય જાણી, અયોગ્યનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સંબૂકવધનું વર્ણન કરનાર તેંતાળીસમું પર્વ પૂર્ણ થયું. * * * ચુમાળીસમું પર્વ (રાવણ દ્વારા સીતાનું હરણ અને રામના વિલાપનું વર્ણન) પછી જેમ તળાવની પાળ તૂટી જાય અને જળનો પ્રવાહ ફેલાઈ જાય તેમ ખરદૂષણની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy