________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ
૨૮૫ અભિલાષી છું. શું ગરુડ પતંગિયાની રીત આચરે છે? કુમનુષ્ય કામરૂપ અગ્નિની
જ્વાળાથી અત્યંત દાહુ પામતો થકો સ્પર્શન ઈન્દ્રિય અને જિલ્વેન્દ્રિયથી અધર્મકાર્ય કરે છે, તેમને નિવૃત્તિ ક્યાંથી હોય? પાપી જીવ ધર્મથી વિમુખ થઈ, વિષયભોગોનું સેવન કરી, નિશ્ચયથી જ અત્યંત દુઃખદાયક એવી દુર્ગતિ પામે છે. આ ભોગ દુર્ગતિ ઉત્પન્ન કરે છે અને રાખ્યા રહેતા નથી, ક્ષણભંગુર છે માટે ત્યાજ્ય જ છે. જેમ જેમ કામરૂપ અગ્નિમાં ભોગરૂપ ઈધન નાખવામાં આવે તેમ તેમ અત્યંત સંતાપ ઉત્પન્ન કરનાર કામાગ્નિ પ્રજ્વલિત થાય છે. માટે હું તાત ! તમે મને આજ્ઞા આપો કે હું વનમાં જઈને વિધિપૂર્વક તપ કરું. જિનભાષિત તપ પરમ નિર્જરાનું કારણ છે, આ સંસારથી હું અત્યંત ભય પામ્યો છું અને હે પ્રભો! જો ઘરમાં કલ્યાણ થતું હોય તો તમે શા માટે ઘર છોડીને મુનિ થવા ઈચ્છો છો? તમે મારા પિતા છો અને પિતાનો એજ ધર્મ છે કે સંસારસમુદ્રથી તારે, તપની અનુમોદના કરે. આવું વિચક્ષણ પુરુષો કહે છે. શરીર, સ્ત્રી, ધન, માતાપિતા, ભાઈ બધાને છોડીને આ જીવ એકલો જ પરલોકમાં ગયો છે, ચિરકાળ સુધી દેવલોકમાં સુખ ભોગવ્યાં છે તો પણ એ તૃપ્ત થયો નથી. તો હવે મનુષ્યના ભોગથી કેવી રીતે તુપ્ત થાય? ભરતના આવાં વચન સાંભળીને પિતા ખૂબ પ્રસન્ન થયા, તેમને હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં અને કહેવા લાગ્યા કે હે પુત્ર! તને ધન્ય છે, તું ભવ્યોમાં મુખ્ય છે, જિનશાસનનું રહસ્ય જાણીને પ્રતિબોધ પામ્યો છે. તું જ કહે છે તે સાચું છું તો પણ હું ધીર ! તેં હજી સુધી કદી મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, તું વિનયવાન પુરુષોમાં મુખ્ય છે, હવે મારી વાત સાંભળ. તારી માતા કૈકેયીએ યુદ્ધમાં મારું સારથિપણું કર્યું હતું, તે યુદ્ધ અતિવિષમ હતું, તેમાં જીવવાની આશા નહોતી, પણ એના સારથિપણાથી મેં યુદ્ધમાં વિજય મેળવ્યો એટલે મેં પ્રસન્ન થઈને તેને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગી લે. ત્યારે તેણે કહેલું કે આ વચન થાપણમાં રાખો, જે દિવસે મને ઈચ્છા થશે ત્યારે હું માગીશ. હવે આજે એણે માગ્યું છે કે મારા પુત્રને રાજ્ય આપો અને મેં તે માન્ય રાખ્યું છે. હવે હું ગુણનિધે! તું ઇન્દ્રના રાજ્ય સમાન આ રાજ્યને નિષ્ફટક કર. મારી પ્રતિજ્ઞાભંગની અપકીર્તિ જગતમાં ન થાય અને આ તારી માતા તારા શોકથી તપ્તાયમાન થઈને મરણ ન પામે એમ કર. તેણે શરીરને નિરંતર લાડથી રાખ્યું છે. પુત્રનું પુત્રપણું એ જ છે કે માતાપિતાને શોકસમુદ્રમાં ન નાખે, આમ બુદ્ધિમાન લોકો કહે છે.
ત્યાર પછી શ્રી રામ ભરતનો હાથ પકડી મહામધુર વચનથી પ્રેમપૂર્ણ દૃષ્ટિથી જોતાં કહેવા લાગ્યા: હે ભાઈ ! પિતાજીએ જેવા વચન તમને કહ્યાં છે તેવું કહેવાને બીજું કોણ સમર્થ છે? જે સમુદ્રમાંથી રત્નોની ઉત્પત્તિ થાય તે સરોવરમાંથી ક્યાંથી થાય? અત્યારે તારી ઉંમર તપને યોગ્ય નથી, કેટલાક દિવસ રાજ્ય કર, જેથી પિતાની કીર્તિ વચનના પાલનથી ચંદ્રમા સમાન નિર્મળ થાય અને તારા જેવો પુત્ર હોવા છતાં માતા શોકથી તપ્ત થઈને મરણ પામે એ યોગ્ય નથી. હું પર્વત અથવા વનમાં એવી જગ્યાએ નિવાસ કરીશ કે કોઈ જાણશે નહિ, તું નિશ્ચિતપણે રાજ્ય કર. હું સકળ રાજઋદ્ધિ છોડીને દેશમાંથી દૂર ચાલ્યો જઈશ અને પૃથ્વીને કોઈ પ્રકારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com