________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પદ્મપુરાણ
એકવીસમું પર્વ
૨૨૩
શૂરવીરો પૃથ્વીનું રાજ્ય કરે છે, વિલાસ કરે છે, રાજ્ય ત્યાગીને વૈરાગ્ય લે છે, કેટલાક પાપી હિંસા કરે છે, પદ્રવ્યની વાંછા કરે છે, પરદ્રવ્યનું હરણ કરે છે, દોડે છે, કૂડ-કપટ કરે છે, તે નરકમાં પડે છે અને જે કેટલાક લજ્જા ધારણ કરે છે, શીલ પાળે છે, કરુણાભાવ ધારણ કરે છે, ક્ષમાભાવ ધારણ કરે છે, ૫૨દ્રવ્યનો ત્યાગ કરે છે, વીતરાગતાને ભજે છે, સંતોષ ધારણ કરે છે, પ્રાણીઓને શાતા ઉપજાવે છે તે સ્વર્ગ પામીને પરંપરાએ મોક્ષ પામે છે. જે દાન કરે છે, તપ કરે છે, અશુભ ક્રિયાનો ત્યાગ કરે છે, જિનેન્દ્રની પૂજા કરે છે, જૈનશાસ્ત્રની ચર્ચા કરે છે, બધા જીવો પ્રત્યે મૈત્રી રાખે છે, વિવેકીઓનો વિનય કરે છે તે ઉત્તમ પદ પામે છે. કેટલાક ક્રોધ કરે છે, કામ સેવે છે, રાગદ્વેષમોહને વશ છે, બીજા જીવોને ઠગે છે તે ભવસાગરમાં ડૂબે છે, નાનાવિધ નાચે છે, જગતમાં રાચે છે, ખેદખિન્ન છે, દીર્ઘ શોક કરે છે, ઝઘડા કરે છે, સંતાપ કરે છે, અસિમસિકૃષિ વાણિજ્યાદિ વ્યાપાર કરે છે, જ્યોતિષ, વૈદક, યંત્ર, મંત્રાદિ કરે છે, શ્રૃંગારાદિ શાસ્ત્ર ૨ચે છે, તે નિરર્થક વલવલીને મરે છે; ઈત્યાદિ શુભાશુભ કર્મથી આત્મધર્મ ભૂલી રહ્યા છે. સંસારી જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ અવસર્પિણી કાળમાં આયુષ્ય અને કાય ઘટતાં જાય છે. શ્રી મલ્લિનાથ મોક્ષ પામ્યા પછી મુનિસુવ્રતનાથના અંતરાળમાં આ ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં એક વિજય નામે રાજા થયો. તે મહાશૂરવીર, પ્રતાપી, પ્રજાપાલનમાં પ્રવીણ, સમસ્ત શત્રુઓને જીતનાર હતો. તેની હેમચૂલની નામની પટરાણીને મહા ગુણવાન સુરેન્દ્રમન્યુ નામનો પુત્ર થયો. તેની કીર્તિસમા નામની રાણીને બે પુત્ર હતા. એક વજ્રબાહુ, બીજો પુરંદર. તેમની કાંતિ સૂર્ય-ચંદ્ર સમાન હતી. તે મહાગુણવાન સાર્થક નામવાળા બન્ને ભાઈ પૃથ્વી ૫૨ સુખે સમય વીતાવતા હતા.
હસ્તિનાગપુરમાં રાજા ઇન્દ્રવાહનની રાણી ચૂડામણિને મનોદયા નામની અતિસુંદર પુત્રી હતી. તે વજ્રકુમારને પરણી હતી. તે કન્યાનો ભાઈ ઉદયસુંદર બહેનને લેવા માટે આવ્યો. વજ્રકુમારને સ્ત્રી પ્રત્યે અતિશય પ્રેમ હતો, સ્ત્રી અતિસુંદર હતી. તે કુમાર સ્ત્રીની સાથે સાસરે ચાલ્યો. વસંતઋતુનો સમય હતો. માર્ગમાં તેઓ વસંતગિરિ પર્વત સમીપે પહોંચ્યા. જેમ જેમ તે પહાડ નિકટ આવતો ગયો તેમ તેમ તેની પરમ શોભા જોઈ કુમાર અત્યંત હર્ષ પામ્યા. પુષ્પોની સુવાસ પવન દ્વારા કુમારને સ્પર્શવાથી તેમને એવું સુખ થયું, જેવું ઘણા દિવસોથી વિખૂટા પડેલા મિત્રના મિલનથી થાય. કોયલોના શબ્દોથી અત્યંત આનંદ થયો, જેમ વિજયના શબ્દ સાંભળીને હર્ષ થાય તેમ. પવનથી વૃક્ષોની ડાળીઓ જાણે વજ્રબાહુનું સન્માન કરતી હોય તેમ હાલતી હતી. ભમરા ગુંજારવ કરી રહ્યા હતા જાણે વીણાનો નાદ જ હોય. વજ્રબાહુનું મન પ્રસન્ન થઈ ગયું. વજ્રબાહુ પહાડની શોભા દેખે છે કે આ આમ્રવૃક્ષ, આ કર્ણકાર વૃક્ષ, આ રૌદ્ર જાતિનું વૃક્ષ ફળોથી મંડિત, આ પ્રયાલ વૃક્ષ, આ પલાશનું વૃક્ષ, જેનાં પુષ્પ અગ્નિ સમાન દેદીપ્યમાન છે, વૃક્ષોની શોભા જોતાં જોતાં રાજકુમારની દષ્ટિ મુનિરાજ ૫૨ ૫ડી અને વિચારવા લાગ્યા કે આ તે સ્તંભ છે, પર્વતનું શિખર છે અથવા મુનિરાજ છે? કાયોત્સર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com